જગતમેં જીવના થોરા, મ ભૂલે દેખી તન ગોરા; ખડા શિર કાળ સા વેરી, કરેગા ખાખકી ઢેરી...૧ કરમકું સમજકે કરના, શિરે નિજ ભાર ના ભરના; કાગદ નિકસતહી જબહી, કઠિન હે બોલના તબહી...૨ નહિ ત્યાં સગાં કોઉ અપના, અગનકી ઝાલમેં તપના; લેખા જમરાજ જબ કરહી, કિયે કૃત ભોગને પરહી...૩ બ્રહ્માનંદ કહત હે તમકું, ન દીજે દોષ અબ હમકું; પોકારે પીટકે તાલી, જાયેગા હાથ લે ખાલી...૪
જગતમેં જીવના થોરા મ ભૂલે દેખી તન ગોરા ખડા શિર કાલ સા વેરી
અજાણ (ગાયક )
ભાવાર્થઃ- સ્વામી કહે છે કે હે મૂઢ જીવાત્માઓ! આ જગતમાં થોડું જીવવાનું છે. છતા સુંદર રૂપને જોઈને તમે તમારી સ્થિતિનું ભાન શા માટે ભૂલો છો. માથે કાળ નામનો અનાદિનો વેરી ઘૂમી રહ્યો છે. એ તો ખ્યાલ છે ને? વાડામાં વાવેલ ચીભડાંના વેલા ઉપર દિવસમાં આંટા મારનારો વાઘરી જેમ પાકેલ ચીભડાને ઉપાડી લ્યે છે, તેમ આ ક્ષણભંગૂર શરીરનો સમય પાકતાં કાળ નામનો પોલિટિકલ એજન્ટ એક જ ઝપાટે આ ગોરા સુડોળ શરીરની રાખની ઢગલી કરી દેશે. II૧II કર્મનો સિદ્ધાંત અફર છે. કર્મની ગતિ ગહન છે. અટપટી છે. “કર્મપ્રધાન વિશ્વકરી રાખા, જો જશ કરાઈ સો તસ ફલ ચાખા.” આખું વિશ્વ કર્મનાં કાયદાને આધારે ચાલે છે. કર્મનાં ફળમાં “દેર હૈ કિન્તુ અંધેર નહીં હૈ.“ ભગવાન કે ભગવાનના મહાન ભક્તો સિવાય ત્રિવિધ કર્મોની ફળશ્રુતિમાં કોઈપણ બાંધછોડ કરી શક્તું નથી, એ નિર્વિવાદ છે. આપણને પ્રશ્ન થશે કે કર્મ એટલે શું? સીધી, સાદી અને સરળ ભાષામાં વ્યાખ્યા કરીએ તો કર્મ એટલે ક્રિયા. ખાવું, પીવું, ન્હાવું, ધોવું, ચાલવું, સાંભળવું, સૂંઘવું, સ્પર્શ કરવો, જન્મવું, જીવવું, મરવું, મારવું, ઈત્યાદિક તમામ શારીરિક કે માનસિક ક્રિયાને કર્મ કહેવાય છે. પણ આ કર્મના મુખ્યત્વે ત્રણ ભાગ છે. (૧) ક્રિયમાણ કર્મ (૨) સંચિત કર્મ અને (૩) પ્રારબ્ધ કર્મ. માણસ જાગે ત્યાંથી સૂઈ જાય ત્યાં સુધી કે જન્મે ત્યારથી મરે ત્યાં સુધીમાં જે જે કર્મો કરે તેને ક્રિયમાણ કર્મ કહેવાય. ક્રિયમાણ કર્મનું ફળ તરત મળે છે. દા.ત. તમને તરસ લાગી, તમે પાણી પીધું એટલે પાણી પીવાના કર્મથી તરત તરસ મટી ગઈ. તમે કોઇને ગાળ દીધી, તેણે તમને લાફો માર્યો. બસ, ક્રિયમાણ કર્મનું ફળ મળી ગયું. આ કહેવાય ક્રિયમાણ કર્મ. જ્યારે સંચિત કર્મ એટલે? કેટલાક ક્રિયમાણ કર્મ એવા હોય છે કે તે કર્મ કરતાંની સાથે તાત્કાલિક ફળ આપતાં નથી, કહેતાં કરેલા કર્મનું ફળ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તેની ચિંતા રહે તેવાં એકઠાં થયેલાં કર્મને સંચિત કર્મ કહેવાય છે. દા.ત. આજે તમે કોઈપણ જાતની પરીક્ષાનું પેપર લખ્યું પણ જ્યાં સુધી તેનું પરિણામ બહાર ન પડે ત્યાં સુધી પાસ-નાપાસનો જે વિચાર મનને મૂઝવે છે એનું નામ સંચિત કર્મ. અર્થાત આજે તમે જુવાનીના જોરમાં તમારા મા-બાપ કે અન્યને દુઃખી કર્યા તો એ કર્મનું ફળ એકઠું થઈને તમારી વૃદ્ધાવસ્થામાં તમારા જ સંતાન દ્વારા દુઃખરૂપે મળે છે. ટૂંકમાં, જથ્થો થયેલા કર્મોને ‘સંચિતકર્મ’ કહેવાય છે. હવે વાત આવી પારબ્ધ કર્મની ! પ્રારબ્ધ એટલે એકઠાં થયેલાં સંચિતકર્મ પાકીને ફળ આપવાને માટે તૈયાર થાય તેવા કર્મને પ્રારબ્ધ કર્મ કહેવાય છે. અર્થાત્ જીવનાં ખાતામાં જમા થયેલા શુભ-અશુભ કર્મનું ફળ કાળાંતરે કરીને આ જન્મે યા બીજા જન્મે જે ભોગવવું પડે છે, તે પ્રારબ્ધ કર્મ કહેવાય છે. દા.ત. કોઈ માણસને ગઢપણમાં અસાધ્ય રોગ થાય ને દસ-પંદર વર્ષ સુધી ખાટલામાં પડ્યા-પડ્યા અસહ્ય વેદના ભોગવે છે. હંમેશા ભગવાનને પ્રાર્થના કરે છે.” હે ભગવાન ! હે પ્રભુ ! હવે મારો ક્યારે છૂટકારો થશે?” આમ, આર્તનાદ કરવા છતાં દુઃખનો અંત નથી આવતો. એનું કારણ એ પ્રારબ્ધ કર્મ ભોગવી રહ્યા છે. આમ, આ ત્રણેય પ્રકારનાં કર્મોનું ફળ જીવાત્માની જ સાથે રહે છે. જુઓને લૂલા , બેરા, બોબડા, બાંગા, ત્રાંસા, કેટલાય માનવીઓ જોવા મળે છે. તો શું ઈશ્વરને એવા મોડલ બનાવવાનો શોખ છે? ના, એ તો માનવ માત્રના ઉપરોક્ત ત્રિવિધ કર્મો પ્રમાણે જ ઈશ્વરી પ્લાન્ટમાં મનુષ્ય તનની બોડી બંધાય છે. માટે જ સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી મૂર્ખ જીવો ઉપર પણ અનહદ દયા લાવી પ્રસ્તુત પદની બીજી કડીમાં સમજાવે છે કે, “હે જીવાત્મા ! જે કાંઈ કર્મ કર અંતે સમજપૂર્વક કરજે. અજ્ઞાનથી કરેલાં કર્મનો પણ ભાર તારે જ ઉપાડવાનો રહેશે. ઈશ્વરી નિર્ણય મુજબ ચિત્રગુપ્ત, વિચિત્ર અને ચિત્રલેખાએ લખેલ આપણા કર્મોની ખાતાવહીનો કાગળ ધર્મરાજાની આગળ રજૂ કરશે. ત્યારે કેવળ જો અશુભ કર્મો જ કર્યા હશે તો આપણી બોલતી બંધ થઈ જશે. માટે આગળ પાછળનો વિચાર કરીને શુભ કર્મો જ કરવાં.“ II૨II જમપુરીમાં ધર્મરાજા જ્યારે આપણા કર્મનો ન્યાય જોખશે ત્યારે ત્યાં કોઈપણ પ્રકારની આજીજી કે લાગવગ નહીં ચાલે, કારણ કે ચૌદ કરોડ યમદૂતમાંથી આપણો કોઈ પણ સગો થતો નથી . એટલે જ અશુભ કર્મના ફળસ્વરૂપે ચોરાશી પ્રકારનાં નરકુંડમાં અને એકી સાથે બાર સૂર્યના તાપમાં તપવું પડશે. સ્વામી કહે છે કે, “ધર્મરાજા ઘડી ઘડીના લેખાં કાઢીને જ્યારે યમ યાતનાનાં દુ;ખોનો દંડ ફટકારશે ત્યારે તમામ દંડો ભોગવે જ છૂટકો છે.” II૩II મૂઢ જીવાત્માઓને બ્રહ્માનંદસ્વામી હિતેચ્છુ બનીને કહે છે કે, “હું તો સાચી વાત રજુ કરી દઉ છું કે, પાપમય કર્મો કદી કરવાં નહીં. જો આ વાત ન મનાય તો જ્યારે દુઃખ પડે ત્યારે અમને કહેતા નહીં કે અમને કહ્યું નહીં. હું તો તાળી વગાડીને કહું છું કે, સગાં-સંબંધી, કુટુંબ, પરિવાર કે સાંસારિક સુખ સંપત્તિ સાથે નહીં આવે. ત્યાં તો ખાલી હાથે જવાનું છે.” આપણાં પાપ-પુણ્ય પણ આપણી પહેલા ત્યાં નોંધાઈ ગયાં હશે. માટે આપણે તો પંડોપંડ જ જવાનું છે. અને મૃત્યું લોકમાં કરેલા શુભ-અશુભ કર્મનું ફળ ભોગવવાનું જ છે. એ નિર્વિવાદ છે. II૪II રહસ્યઃ- પ્રસ્તુત કીર્તનમાં ચાર પદો છે. દરેક પદમાં અનોખી રીતે સંસારની અસારતાનું, ત્રણેય અવસ્થાનું, ત્રણેય ગુણોનું, દેહ-ગેહનું અને શુભ-અશુભ કર્મનું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યુ છે. આ સંત કવિની સાધુતા અને હેતસ્વિતા તો ત્યાં જ જણાય છે કે લગ્ન આનંદિત પ્રસંગે પણ વણવિચારે વરરાજાનું હિત લક્ષમાં લઈ બૃહત વૈરાગ્ય વીંટ્યા વચનો સરી પડ્યાં ! પદનો રાગ લાવણી નિર્દેશાયો છે. પરંતુ શાસ્ત્રીય સંગીતનાં શાસ્ત્રોનું અવલોકન કરતાં લાવણી રાગ ક્યાંય પણ નજરે પડતો નથી. લાવણી તાલ છે પણ રાગ નથી. વિદ્યાગુરુ પાસેથી અને સંગીતનાં અમુક શાસ્ત્રોમાંથી લાવણી ઢંગની એક વિ���િષ્ટ પ્રકારની ગાવાની શૈલી જાણવા મળે છે. અહીંયા પ્રસ્તુત પદમાં આ સુજાણ સંતકવિએ બહુ જ સુક્ષ્મ રીતે વિચારી આ શૈલીનો પ્રયોગ કરેલ છે. કારણ કે ઉત્પત્તિમાં દર્શાવેલ અદ્ભુત ત્રિવેણી સંગમના સમયે ગાયન શૈલી પણ એક વિશિષ્ટ પ્રકારની અદ્ભુત હોવી જોઈએ. એટલે પ્રસ્તુત પદમાં પ્રયોજાયેલી લાવણી શૈલી સુગેયતાની દ્રષ્ટિએ ઘણી કઠિન છે. પરંતુ આજકાલના ગાયકો સંગીતની ઊંડી સાધનાના અભાવે આ શૈલી કવ્વાલીના ઢંગથી ગાઈ છે. અને તેમાં કહરવાના આડલયના પ્રકારનો ઉપયોગ કરે છે.
ઉત્પત્તિઃ- વિતરાગી સંતોના સહવાસે જેમની વૃત્તિઓ નિર્મૂળ થઈ ગઈ છે. સંસારના સુખ તુચ્છ થઈ જતાં જે પરણવું એ પાપ માને છે. એવા દાદાને શ્રીહરિ આજ્ઞા કરે છે કે, ‘દાદા ! તારે અમારી આજ્ઞાથી લગ્ન કરવાં પડશે.” તમારી પાસે જે આવે છે, તેને તો તમે સાધુ થવાની વાત કરો છો. અને મને આ પાપમાં નાખવો છે?’ દાદાએ હળવેકથી કહ્યું, ‘ના, દાદા ! એવું તો નથી, પરંતુ તું એભલકુળનો કુળદીપક છો. તો એ કુળના દીવા મારે ઓલવવા નથી. સંસાર પ્રત્યેની તારી અરુચિ હું જાણું છું, દાદા. છતા, કોઈપણ ભોગે તારે ગૃહસ્થાશ્રમ માંડવો જ પડશે.’ આદેશ આપતાં શ્રીહરિએ કહ્યું. ‘આપની આજ્ઞાની અવજ્ઞા હું કરું તો તો અસુર જ કહેવાઉં ને?’ આંખના આંસુ લૂંછતા-લૂંછતા દાદાએ કહ્યું. દાદા સંમત થયા કે તરત જ લગ્ન લેવાયાં અને પળ એકમાં પરિયાણ કરી સઘળું ગામ જમાડી દીધું. અને જોતજોતામાં તો જાન ઉઘલવાની તૈયારી થઈ ગઈ. પરંતુ મોટી ડેલીવાળા જીવાખાચરના રાગ, દ્વેષ, અને વિરોધના કારણે સ્ત્રીભક્તો કોઈ જાનમાં જોડાઈ શક્યાં નહીં. જેથી શ્રીહરિએ અન્યથાકર્તુ શક્તિ વાપરી જાનડિયું તરીકે નિવૃત્તિ માર્ગને વરેલા અષ્ટ પ્રકારનાં સ્ત્રીધનનાં ત્યાગી સંતોને દાદાની જાનમાં જોડાવા આજ્ઞા કરી, એટલે સ્વેષ્ટદેવની આજ્ઞામાં જ ધર્મની ઈતિશ્રી માનનારા સર્વ જોગીરાજો મોટા મોટા પાઘડા માથા ઉપર મૂકી ખંભે ખડિયો ભેરવી અને હાથમાં ગૌમુખી લઈ જાનનાં ગાડામાં માંડ્યાં બેસવા. એટલે શ્રીહરિએ કહ્યું કે “વરરાજાને ગાડે અષ્ટકવિઓ જ બેસજો.” અને ખુદ શ્રી હરિ પોતાના લાડકવાયા દાદાના સારથિ બની દાદાનું ગાડું હંકાવવા બેઠા. આ હા હા …! કેવો અદ્ભુત ત્રિવેણી સંગમ ! કેવું અલૌલિક દ્રશ્ય ! અને કેટલી ઊંચી ભક્તવત્સલતા ! ગાડા ખેડુ તરીકે લાડીલો લાલ, જાનડિયું તરીકે વિતરાગી સંતો અને વરરાજા તરીકે ભક્ત શિરોમણિ, નિર્વાસનિક એવા વિશ્વાસી ભક્ત દાદાખાચર. આવા ત્રિવિધ અલૌલિક વિભૂતિઓના સંયોગથી આનંદનો મહાસાગર માજા મૂક્યા વિના રહી શકે ખરો? અવતારી પુરુષના જીવન-કવનના ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે નોંધ્યા જેવા આ અણમૂલા અલૌલિક પ્રસંગાનંદમાં સૌ તરબોળ થતા જાનમાં જોડાયા. ને જોતજોતામાં જાન ઊપડી ભટ્ટ્વદર ભણી. પરંતુ “જેની પાસે ગુણ જેવો રે તેવો આપે સેવકને.” એ ન્યાયે શરીર, સંપત્તિ, સંતતિ અને સ્ત્રીના સુખની અસારતાનો આબેહૂબ ચિતાર આપતાં અષ્ટકવિ માંહેની એક જાનડી (બ્રહ્માનંદ) ના અંતરમાંથી લીંબુ, મરચાં અને મીઠાનાં પાણીમાં બોળેલા ચાબખારૂપ સરી પડ્યું આ પ્રસ્તુત પદ.
अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान
एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है
અંખી આયકે મોય લગી, જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી, તમોને કર જોડી કહીએ
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત
અંગુલીકા મૃદુલ રુપાળીરે, અનુક્રમે નાની મોટી
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે
અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ
અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારી હો
અંતરજામી શ્રીકૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો
અંતરના જામી શું કહીએ આપને, નથી અજાણ્યું આપ થકી તલ ભારજો
અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે
અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી
અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે
અંતે સંતને તેડાવે રે, પ્રભુનું ભજન કરવા
અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો
અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે
અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો
અક્ષરધામથી શ્રીજી પધાર્યા
અક્ષરધામથી સંતોની સંગાથ જો
અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર
અક્ષરના વાસી રે અવની આવીયા
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ
અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે
અક્ષરવાસી વિલાસી વડતાલના રે
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે
અક્ષ્રરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી
અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ
અખંડ રહો મંદિરીયે મારે, મોહી હું તો છોગલીયે તારે રે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર
અખિયનકી લગી ચટકી સજની અંખિ
અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી
અખિયાં અટકી દેખત બનવારી