Logo image

ક્યારે હવે દેખું રે હરિ હસતા, મારા મંદિરિયામાં વસતા

ક્યારે હવે દેખું રે હરિ હસતા, મારા મંદિરિયામાં વસતા...ટેક.
જરકસિયા જામા પહેરીને, ગૂઢો રેંટો કટિ કસતા...ક્યારે૦ ૧
ફૂલડામાં ગરકાવ થઈને, અત્તરમાં મસમસતા...ક્યારે૦ ૨
મુનિવર સારુ રસોઈ કરાવીને, પંગતમાંહી પિરસતા...ક્યારે૦ ૩
પ્રેમાનંદ આગે ગાયે ત્યારે, આવે ઓરા ઓરા ખસતા...ક્યારે૦ ૪
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
વિરહ
વિવેચન:
આસ્વાદ : શબ્દોના લાલિત્ય સાથે સ્વરના ગુંજારવ નો સમન્વય થાય ત્યારે એક અનોખી અસર સર્જાતી હોય છે. કાવ્યમાં લય સ્વાભાવિક હોય છે. એ લય અને સ્વર ભેગા થાય અને એમાં જો અંતરનો આર્તનાદ ભળે તો એમાંથી નીપજતું સંગીત અલૌકિક આસ્વાદવાળું બને છે. એ સંગીતમાં પ્રભુને પણ પાસે ખેંચી લાવવાની તાકાત રહેલી છે! પ્રેમસખી પેમાનંદ સંગીતના મરમી હતા. સાથે સાથે એમની પાસે ગોપીનું હૈયું પણ હતું.એ હૈયામાં પભુ માટે પારાવાર પ્રેમની લાહેરો ઊઠતી હતી. આવા પ્રેમોત્સુક સંગીતજ્ઞ કવિ અમાસની અંધારી રાતે વિરહાકુળ થઈને હૈયાના વલોપાતને આરતભરી વાણીમાં વ્યક્ત કરે છે. હૃદય મંદિરમાં વસતા હરિને હસતા દેખવાની કવિની ઊંડી ઝંખના અહીં અભિવ્યક્ત થાય છે. પ્રેમસખી પોતે તો શ્રીહરિને ખૂબ ચાહે છે. પોતાના ઉરમંદિરમાં સદાય જતન કરીને એ મૂર્તિને જાળવી રાખે છે, છતાંય ઊંડે ઊંડે પણ એમને એવી જીજ્ઞાસા રહે છે કે શું પ્રભુ મારા ઉપર આવા જ રાજી તો હશે ને? એટલે જ એમના અંતરમાં હરિને હસતા દેખવાના – પ્રસન્નમુદ્રામાં નીરખવાના કોડ જાગે છે. હવે રસરાજ શૃંગારનું રસિક નિરૂપણ રસેશ પરમાત્મા પ્રત્યે કરતાં કવિ કહે છે: ‘જરકસિયા જામા પે’રીને ગુઢો રેં‌ટો ઓઢી કટિ‌ કસતા. ફૂલડામાં ગરકાવ થઈને , અત્તરમાં મસમસતા’ પ્રભુ જરકસી જામો પહેરી, માથે સુંદર ફેંટો બાંધી , કમર પર કસીને દુપટ્ટો બાંધીને ભક્તોને દર્શન દેતા. ભક્તોની પૂજાથી મહારાજના ગાળામાં ફૂલનાં હર લદાતા , ગાજરના બાજુબંધ અને માથે તોરા બંધાતા , એમ શ્રીજીનું સકલ સ્વરૂપ ફૂલમાં ગરકાવ થઈ જતું અને ફૂલની સુગંધ અને અત્તરની ખુશબોથી મહારાજ મઘમઘતા. શ્રીજીની રૂપમાધુરીને શૃંગાર સહિત યાદ કર્યા બાદ કવિ પ્રભુનાં સંસ્મરણોને વાગોળે છે . શ્રીજીમહારાજ ઘણીવાર સંતો માટે રસોઈ કરાવીને જાતે જ પોતાના પરમહંસોને પીરસતા , અરે! કેટલીક વાર તો પોતે જાતે જ રસોઈ બનાવીને સંતોને હેતથ��� જમાડતા,*( લોયાનો શાકોત્સવ.) અને જમાડીને બરાબર તૃપ્ત કરતા. બીજું એક સ્મરણ યાદ કરતાં કવિ કહે છે કે જયારે હું (પ્રેમાનંદ) મહારાજ પાસે કીર્તન ગાતો ત્યારે મહારાજ પ્રસન્ન થઈને ખસતા ખસતા મારી પાસે આવતા. આવાં અનેક સ્મરણો યાદ કરીને કવિ હૈયાને હળવું કરે છે અને એમનું વિરહાકુળ હૃદય પ્રસન્ન પ્રભુના દર્શન હરહંમેશ ઝંખ્યા કરે છે. ઠુમરી રાગમાં ગવાયેલા આ પદને શ્રીહરિએ રાતના અંધકારમાં ઓસરીના એકાંતમાં ઊભા રહીને માણ્યું હતું. કાવ્ય સરળ ને સુગેય છે. આસ્વાદ : શબ્દોના લાલિત્ય સાથે સ્વરના ગુંજારવ નો સમન્વય થાય ત્યારે એક અનોખી અસર સર્જાતી હોય છે. કાવ્યમાં લય સ્વાભાવિક હોય છે. એ લય અને સ્વર ભેગા થાય અને એમાં જો અંતરનો આર્તનાદ ભળે તો એમાંથી નીપજતું સંગીત અલૌકિક આસ્વાદવાળું બને છે. એ સંગીતમાં પ્રભુને પણ પાસે ખેંચી લાવવાની તાકાત રહેલી છે! પ્રેમસખી પેમાનંદ સંગીતના મરમી હતા. સાથે સાથે એમની પાસે ગોપીનું હૈયું પણ હતું.એ હૈયામાં પભુ માટે પારાવાર પ્રેમની લાહેરો ઊઠતી હતી. આવા પ્રેમોત્સુક સંગીતજ્ઞ કવિ અમાસની અંધારી રાતે વિરહાકુળ થઈને હૈયાના વલોપાતને આરતભરી વાણીમાં વ્યક્ત કરે છે. હૃદય મંદિરમાં વસતા હરિને હસતા દેખવાની કવિની ઊંડી ઝંખના અહીં અભિવ્યક્ત થાય છે. પ્રેમસખી પોતે તો શ્રીહરિને ખૂબ ચાહે છે. પોતાના ઉરમંદિરમાં સદાય જતન કરીને એ મૂર્તિને જાળવી રાખે છે, છતાંય ઊંડે ઊંડે પણ એમને એવી જીજ્ઞાસા રહે છે કે શું પ્રભુ મારા ઉપર આવા જ રાજી તો હશે ને? એટલે જ એમના અંતરમાં હરિને હસતા દેખવાના – પ્રસન્નમુદ્રામાં નીરખવાના કોડ જાગે છે. હવે રસરાજ શૃંગારનું રસિક નિરૂપણ રસેશ પરમાત્મા પ્રત્યે કરતાં કવિ કહે છે: ‘જરકસિયા જામા પે’રીને ગુઢો રેં‌ટો ઓઢી કટિ‌ કસતા. ફૂલડામાં ગરકાવ થઈને , અત્તરમાં મસમસતા’ પ્રભુ જરકસી જામો પહેરી, માથે સુંદર ફેંટો બાંધી , કમર પર કસીને દુપટ્ટો બાંધીને ભક્તોને દર્શન દેતા. ભક્તોની પૂજાથી મહારાજના ગાળામાં ફૂલનાં હર લદાતા , ગાજરના બાજુબંધ અને માથે તોરા બંધાતા , એમ શ્રીજીનું સકલ સ્વરૂપ ફૂલમાં ગરકાવ થઈ જતું અને ફૂલની સુગંધ અને અત્તરની ખુશબોથી મહારાજ મઘમઘતા. શ્રીજીની રૂપમાધુરીને શૃંગાર સહિત યાદ કર્યા બાદ કવિ પ્રભુનાં સંસ્મરણોને વાગોળે છે . શ્રીજીમહારાજ ઘણીવાર સંતો માટે રસોઈ કરાવીને જાતે જ પોતાના પરમહંસોને પીરસતા , અરે! કેટલીક વાર તો પોતે જાતે જ રસોઈ બનાવીને સંતોને હેતથી જમાડતા,*( લોયાનો શાકોત્સવ.) અને જમાડીને બરાબર તૃપ્ત કરતા. બીજું એક સ્મરણ યાદ કરતાં કવિ કહે છે કે જયારે હું (પ્રેમાનંદ) મહારાજ પાસે કીર્તન ગાતો ત્યારે મહારાજ પ્રસન્ન થઈને ખસતા ખસતા મારી પાસે આવતા. આવાં અનેક સ્મરણો યાદ કરીને કવિ હૈયાને હળવું કરે છે અને એમનું વિરહાકુળ હૃદય પ્રસન્ન પ્રભુના દર્શન હરહંમેશ ઝંખ્યા કરે છે. ઠુમરી રાગમાં ગવાયેલા આ પદને શ્રીહરિએ રાતના અંધકારમાં ઓસરીના એકાંતમાં ઊભા રહીને માણ્યું હતું. કાવ્ય સરળ ને સુગેય છે.
ઉત્પત્તિ:
શ્રાવણી અમાસની અંધારી રાત હતી. એ તોફાની મેઘલી રાતે તમરાના ઝાંય ઝાંય અને દેડકાના ડ્રાં‌ઉં ડ્રાં‌ઉં સિવાય રાત્રિના શ્યામ સાળુમાં સમષ્ટિનાં સર્વ પ્રાણી પોઢી ગયાં હતાં. હવામાં આહ્‌લાદક ઠંડક હતી. ગઢપુરની ગરવી ધરતી પર આજે પરબ્રહ્મ પુરુષોત્તમ સહજંદ સ્વામીની નિશ્રામાં સર્વ સંતો તથા સત્સંગીજનો ચાતુર્માસના વિશેષ નિયમો અંગીકાર કરીને પ્રભુ પ્રસન્નતાના સાધન આરાધી રહ્યાં હતાં. પ્રેમસખી પ્રેમાનંદે એવો નિયમ લીધો હતો કે રોજનાં આઠ પદ રચવાં‌. પણ આજે દિવસ આખો એમ જ વીતી ગયો . સાંજ પણ જોત જોતામાં શમી ગઈ. છતાં એક પણ પદ સ્ફૂર્યું નહોતું. કાજળ કાળા અંધકારને ભેદતા સારંગીના સૂર પવનપાંખે ચડી દૂર દૂર સુધી રેલાઈ ગયા. સારંગીના સૂરોએ સ્વામીના અંતરને મથી નાખ્યું . વલોવાયેલા અંતરમાંથી જે આર્ત નવનીત નિપજ્યાં‌ તેને સ્વામીએ વૈખરીમાં વહેતાં મૂક્યાં . ‘ ઘનશ્યામ વિયોગ સહ્યો નહિ જાવત. એ ઠુમરીનો આલાપ એમણે અંધકારમાં ઓતપ્રોત કરી દીધો. પછી તો ગીત ઉપર ગીત ને રાગ ઉપર રાગ છેડાતા ગયા. એ મેઘલી રાત , એ હચમચી ગયેલું હૈયું, ને એ સૂર પીને ગાઢો થયેલો અંધકાર ત્રણેય એકરસ થઈને નાદબ્રહ્મ રેલાવી રહ્યા. શ્રીજીમહારાજ અક્ષર ઓરડીમાં પોઢી ગયા હતા, અચાનક પ્રેમાનંદના આર્તનાદે પ્રભુને અધરાતે નીંદરમાંથી બેઠા કરી દીધા. પભુએ ઢોલિયા ઉપર બેસીને અવાજની દિશામાં કાન સરવા કર્યા.તો પ્રેમસખીનો મધુર સ્વર ગૂંજી રહ્યો હતો . ‘ક્યારે હવે દેખું રે હરિ હસતા, મારાં મંદિરીયામાં વસતા . ક્યારે ......’ એ સાંભળી મીંચેલી આંખે પણ મહારાજ હસી રહ્યા. પણ એમ ક્યા લાગી રહેવાય ? એ બેઠા થયા. બારણું ખોલીને બહાર આવ્યા. એ વખતે પ્રેમાનંદ સ્વામી ગઢડામાં પૂનમિયા કૂવા*( જુઓ પરિશિષ્ટ -૪) પાસે આથમણા બારની ઓરડીમાં રહેતા હતા. મહારાજે અવાજની દિશામાં ડગ માંડ્યાં ને પ્રેમાનંદ સ્વામીની ઓરડીએ આવી પહોંચ્યા. પ્રેમસખી તો પ્રતિપળ પ્રેમાર્દ્ર સાદે પ્રેમરસને ઘૂંટતા પ્રભુના રસમય રૂપમાં રસબસ થઈને ઝૂમતા હતા. એમની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. ઓરડીમાં બળતા દિવાના ઝાંખા પ્રકાશમાં મહારાજે એ જોયું અને ઓસરીમાં જ લપાઈને એક બાજુ એ ઊભા રહ્યા.મહારાજે માત્ર એક ચાદર જ ઓઢી હતી તો પણ અમાસની તોફાની અંધારી રાત્રે એ એકલા ભક્તને દ્વાર અભિસારિકાની જેમ આવી પહોંચ્યા હતા. ‘મને વહાલાનો વિરહ સતાવે રે, નથી રહેવાતું .....’ આંખની અટારીએ આસુંના તોરણ બાંધીને પ્રેમસખી વિરહાતુર બનીને ગાઈ રહ્યા હતા. અંતરમાંથી ઘૂંટાઈને આવતા કરુણ સ્વરોમાં ‘નથી રહેવાતું...... નથી રહેવાતું’ એ શબ્દોને પુન:પુન: ગાઈને સ્વામીએ શ્રીહરિના હૈયાને પણ હચમચાવી મૂક્યું. ઓરડીના ઝાંખા દીવાના ઉજાસમાં સ્વામી મન મૂકીને ભાવ ઠાલવતા હતા. બહાર ઓસરી ઉપર ઊભા ઊભા શ્રીહરિ એમાં ભીંજાતા હતા. આમ ને આમ રાત તૈયારી હતી ને પ્રેમાનંદની નજર અચાનક જ બારણા બહાર પડી , અને એ તો ઓસરીમાં શ્રીહરિને ઊભેલા જોઇને અચંબામાં પડી ગયા. પ્રભુને સત્કારવાની પણ તેમને સૂઝ ન પડી અને એ તો એકદમ સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરવા મંડી પડ્યા. મહારાજે એમને ઊભા કરી પ્રેમપૂર્વક ગાઢ આલિંગન આપ્યું. પછી સ્વામીએ પૂછ્યું ‘ મહારાજ! ક્યારના પધાર્યા છો ?’ મહારાજે પ્રેમસખીને લાડથી ટપારતા કહ્યું ‘મધરાતના અમે તો અહીં જ ઊભા ઊભા તમારા પ્રેમનો આસ્વાદ લઈ રહ્યા છીએ .’ પછી રાજી થઈ મહારાજે પોતાનો ખેસ પ્રેમસખીને ભેટ આપ્યો ને કહ્યું: “ હવે રાખો, રાત ઝાઝી વીતી ગઈ છે!’

अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧૦

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;      

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;        

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૫ / ૮

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી શ્રીજી પધાર્યા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી સંતોની સંગાથ જો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,          

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૪ / ૮

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;    

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪
www.swaminarayankirtan.org © 2025