ક્યારે હવે દેખું રે હરિ હસતા, મારા મંદિરિયામાં વસતા...ટેક. જરકસિયા જામા પહેરીને, ગૂઢો રેંટો કટિ કસતા...ક્યારે૦ ૧ ફૂલડામાં ગરકાવ થઈને, અત્તરમાં મસમસતા...ક્યારે૦ ૨ મુનિવર સારુ રસોઈ કરાવીને, પંગતમાંહી પિરસતા...ક્યારે૦ ૩ પ્રેમાનંદ આગે ગાયે ત્યારે, આવે ઓરા ઓરા ખસતા...ક્યારે૦ ૪
ક્યારે હવે દેખું રે હરિ હસતા, મારા મંદિરિયામાં વસતા
જ્ઞાનસ્વરૂપ સ્વામી- રાજકોટ ગુરુકુલ
ક્યારે હવે દેખું રે હરિ હસતા, મારા મંદિરિયામાં વસતા
અજાણ (ગાયક )
ક્યારે હવે દેખું રે હરિ હસતા, મારા મંદિરિયામાં વસતા
અજાણ (ગાયક )
ક્યારે હવે દેખું રે હરિ હસતા, મારા મંદિરિયામાં વસતા
હેમંત ચૌહાણ
ક્યારે હવે દેખું રે હરિ હસતા, મારા મંદિરિયામાં વસતા
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
આસ્વાદ : શબ્દોના લાલિત્ય સાથે સ્વરના ગુંજારવ નો સમન્વય થાય ત્યારે એક અનોખી અસર સર્જાતી હોય છે. કાવ્યમાં લય સ્વાભાવિક હોય છે. એ લય અને સ્વર ભેગા થાય અને એમાં જો અંતરનો આર્તનાદ ભળે તો એમાંથી નીપજતું સંગીત અલૌકિક આસ્વાદવાળું બને છે. એ સંગીતમાં પ્રભુને પણ પાસે ખેંચી લાવવાની તાકાત રહેલી છે! પ્રેમસખી પેમાનંદ સંગીતના મરમી હતા. સાથે સાથે એમની પાસે ગોપીનું હૈયું પણ હતું.એ હૈયામાં પભુ માટે પારાવાર પ્રેમની લાહેરો ઊઠતી હતી. આવા પ્રેમોત્સુક સંગીતજ્ઞ કવિ અમાસની અંધારી રાતે વિરહાકુળ થઈને હૈયાના વલોપાતને આરતભરી વાણીમાં વ્યક્ત કરે છે. હૃદય મંદિરમાં વસતા હરિને હસતા દેખવાની કવિની ઊંડી ઝંખના અહીં અભિવ્યક્ત થાય છે. પ્રેમસખી પોતે તો શ્રીહરિને ખૂબ ચાહે છે. પોતાના ઉરમંદિરમાં સદાય જતન કરીને એ મૂર્તિને જાળવી રાખે છે, છતાંય ઊંડે ઊંડે પણ એમને એવી જીજ્ઞાસા રહે છે કે શું પ્રભુ મારા ઉપર આવા જ રાજી તો હશે ને? એટલે જ એમના અંતરમાં હરિને હસતા દેખવાના – પ્રસન્નમુદ્રામાં નીરખવાના કોડ જાગે છે. હવે રસરાજ શૃંગારનું રસિક નિરૂપણ રસેશ પરમાત્મા પ્રત્યે કરતાં કવિ કહે છે: ‘જરકસિયા જામા પે’રીને ગુઢો રેંટો ઓઢી કટિ કસતા. ફૂલડામાં ગરકાવ થઈને , અત્તરમાં મસમસતા’ પ્રભુ જરકસી જામો પહેરી, માથે સુંદર ફેંટો બાંધી , કમર પર કસીને દુપટ્ટો બાંધીને ભક્તોને દર્શન દેતા. ભક્તોની પૂજાથી મહારાજના ગાળામાં ફૂલનાં હર લદાતા , ગાજરના બાજુબંધ અને માથે તોરા બંધાતા , એમ શ્રીજીનું સકલ સ્વરૂપ ફૂલમાં ગરકાવ થઈ જતું અને ફૂલની સુગંધ અને અત્તરની ખુશબોથી મહારાજ મઘમઘતા. શ્રીજીની રૂપમાધુરીને શૃંગાર સહિત યાદ કર્યા બાદ કવિ પ્રભુનાં સંસ્મરણોને વાગોળે છે . શ્રીજીમહારાજ ઘણીવાર સંતો માટે રસોઈ કરાવીને જાતે જ પોતાના પરમહંસોને પીરસતા , અરે! કેટલીક વાર તો પોતે જાતે જ રસોઈ બનાવીને સંતોને હેતથ��� જમાડતા,*( લોયાનો શાકોત્સવ.) અને જમાડીને બરાબર તૃપ્ત કરતા. બીજું એક સ્મરણ યાદ કરતાં કવિ કહે છે કે જયારે હું (પ્રેમાનંદ) મહારાજ પાસે કીર્તન ગાતો ત્યારે મહારાજ પ્રસન્ન થઈને ખસતા ખસતા મારી પાસે આવતા. આવાં અનેક સ્મરણો યાદ કરીને કવિ હૈયાને હળવું કરે છે અને એમનું વિરહાકુળ હૃદય પ્રસન્ન પ્રભુના દર્શન હરહંમેશ ઝંખ્યા કરે છે. ઠુમરી રાગમાં ગવાયેલા આ પદને શ્રીહરિએ રાતના અંધકારમાં ઓસરીના એકાંતમાં ઊભા રહીને માણ્યું હતું. કાવ્ય સરળ ને સુગેય છે. આસ્વાદ : શબ્દોના લાલિત્ય સાથે સ્વરના ગુંજારવ નો સમન્વય થાય ત્યારે એક અનોખી અસર સર્જાતી હોય છે. કાવ્યમાં લય સ્વાભાવિક હોય છે. એ લય અને સ્વર ભેગા થાય અને એમાં જો અંતરનો આર્તનાદ ભળે તો એમાંથી નીપજતું સંગીત અલૌકિક આસ્વાદવાળું બને છે. એ સંગીતમાં પ્રભુને પણ પાસે ખેંચી લાવવાની તાકાત રહેલી છે! પ્રેમસખી પેમાનંદ સંગીતના મરમી હતા. સાથે સાથે એમની પાસે ગોપીનું હૈયું પણ હતું.એ હૈયામાં પભુ માટે પારાવાર પ્રેમની લાહેરો ઊઠતી હતી. આવા પ્રેમોત્સુક સંગીતજ્ઞ કવિ અમાસની અંધારી રાતે વિરહાકુળ થઈને હૈયાના વલોપાતને આરતભરી વાણીમાં વ્યક્ત કરે છે. હૃદય મંદિરમાં વસતા હરિને હસતા દેખવાની કવિની ઊંડી ઝંખના અહીં અભિવ્યક્ત થાય છે. પ્રેમસખી પોતે તો શ્રીહરિને ખૂબ ચાહે છે. પોતાના ઉરમંદિરમાં સદાય જતન કરીને એ મૂર્તિને જાળવી રાખે છે, છતાંય ઊંડે ઊંડે પણ એમને એવી જીજ્ઞાસા રહે છે કે શું પ્રભુ મારા ઉપર આવા જ રાજી તો હશે ને? એટલે જ એમના અંતરમાં હરિને હસતા દેખવાના – પ્રસન્નમુદ્રામાં નીરખવાના કોડ જાગે છે. હવે રસરાજ શૃંગારનું રસિક નિરૂપણ રસેશ પરમાત્મા પ્રત્યે કરતાં કવિ કહે છે: ‘જરકસિયા જામા પે’રીને ગુઢો રેંટો ઓઢી કટિ કસતા. ફૂલડામાં ગરકાવ થઈને , અત્તરમાં મસમસતા’ પ્રભુ જરકસી જામો પહેરી, માથે સુંદર ફેંટો બાંધી , કમર પર કસીને દુપટ્ટો બાંધીને ભક્તોને દર્શન દેતા. ભક્તોની પૂજાથી મહારાજના ગાળામાં ફૂલનાં હર લદાતા , ગાજરના બાજુબંધ અને માથે તોરા બંધાતા , એમ શ્રીજીનું સકલ સ્વરૂપ ફૂલમાં ગરકાવ થઈ જતું અને ફૂલની સુગંધ અને અત્તરની ખુશબોથી મહારાજ મઘમઘતા. શ્રીજીની રૂપમાધુરીને શૃંગાર સહિત યાદ કર્યા બાદ કવિ પ્રભુનાં સંસ્મરણોને વાગોળે છે . શ્રીજીમહારાજ ઘણીવાર સંતો માટે રસોઈ કરાવીને જાતે જ પોતાના પરમહંસોને પીરસતા , અરે! કેટલીક વાર તો પોતે જાતે જ રસોઈ બનાવીને સંતોને હેતથી જમાડતા,*( લોયાનો શાકોત્સવ.) અને જમાડીને બરાબર તૃપ્ત કરતા. બીજું એક સ્મરણ યાદ કરતાં કવિ કહે છે કે જયારે હું (પ્રેમાનંદ) મહારાજ પાસે કીર્તન ગાતો ત્યારે મહારાજ પ્રસન્ન થઈને ખસતા ખસતા મારી પાસે આવતા. આવાં અનેક સ્મરણો યાદ કરીને કવિ હૈયાને હળવું કરે છે અને એમનું વિરહાકુળ હૃદય પ્રસન્ન પ્રભુના દર્શન હરહંમેશ ઝંખ્યા કરે છે. ઠુમરી રાગમાં ગવાયેલા આ પદને શ્રીહરિએ રાતના અંધકારમાં ઓસરીના એકાંતમાં ઊભા રહીને માણ્યું હતું. કાવ્ય સરળ ને સુગેય છે.
શ્રાવણી અમાસની અંધારી રાત હતી. એ તોફાની મેઘલી રાતે તમરાના ઝાંય ઝાંય અને દેડકાના ડ્રાંઉં ડ્રાંઉં સિવાય રાત્રિના શ્યામ સાળુમાં સમષ્ટિનાં સર્વ પ્રાણી પોઢી ગયાં હતાં. હવામાં આહ્લાદક ઠંડક હતી. ગઢપુરની ગરવી ધરતી પર આજે પરબ્રહ્મ પુરુષોત્તમ સહજંદ સ્વામીની નિશ્રામાં સર્વ સંતો તથા સત્સંગીજનો ચાતુર્માસના વિશેષ નિયમો અંગીકાર કરીને પ્રભુ પ્રસન્નતાના સાધન આરાધી રહ્યાં હતાં. પ્રેમસખી પ્રેમાનંદે એવો નિયમ લીધો હતો કે રોજનાં આઠ પદ રચવાં. પણ આજે દિવસ આખો એમ જ વીતી ગયો . સાંજ પણ જોત જોતામાં શમી ગઈ. છતાં એક પણ પદ સ્ફૂર્યું નહોતું. કાજળ કાળા અંધકારને ભેદતા સારંગીના સૂર પવનપાંખે ચડી દૂર દૂર સુધી રેલાઈ ગયા. સારંગીના સૂરોએ સ્વામીના અંતરને મથી નાખ્યું . વલોવાયેલા અંતરમાંથી જે આર્ત નવનીત નિપજ્યાં તેને સ્વામીએ વૈખરીમાં વહેતાં મૂક્યાં . ‘ ઘનશ્યામ વિયોગ સહ્યો નહિ જાવત. એ ઠુમરીનો આલાપ એમણે અંધકારમાં ઓતપ્રોત કરી દીધો. પછી તો ગીત ઉપર ગીત ને રાગ ઉપર રાગ છેડાતા ગયા. એ મેઘલી રાત , એ હચમચી ગયેલું હૈયું, ને એ સૂર પીને ગાઢો થયેલો અંધકાર ત્રણેય એકરસ થઈને નાદબ્રહ્મ રેલાવી રહ્યા. શ્રીજીમહારાજ અક્ષર ઓરડીમાં પોઢી ગયા હતા, અચાનક પ્રેમાનંદના આર્તનાદે પ્રભુને અધરાતે નીંદરમાંથી બેઠા કરી દીધા. પભુએ ઢોલિયા ઉપર બેસીને અવાજની દિશામાં કાન સરવા કર્યા.તો પ્રેમસખીનો મધુર સ્વર ગૂંજી રહ્યો હતો . ‘ક્યારે હવે દેખું રે હરિ હસતા, મારાં મંદિરીયામાં વસતા . ક્યારે ......’ એ સાંભળી મીંચેલી આંખે પણ મહારાજ હસી રહ્યા. પણ એમ ક્યા લાગી રહેવાય ? એ બેઠા થયા. બારણું ખોલીને બહાર આવ્યા. એ વખતે પ્રેમાનંદ સ્વામી ગઢડામાં પૂનમિયા કૂવા*( જુઓ પરિશિષ્ટ -૪) પાસે આથમણા બારની ઓરડીમાં રહેતા હતા. મહારાજે અવાજની દિશામાં ડગ માંડ્યાં ને પ્રેમાનંદ સ્વામીની ઓરડીએ આવી પહોંચ્યા. પ્રેમસખી તો પ્રતિપળ પ્રેમાર્દ્ર સાદે પ્રેમરસને ઘૂંટતા પ્રભુના રસમય રૂપમાં રસબસ થઈને ઝૂમતા હતા. એમની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. ઓરડીમાં બળતા દિવાના ઝાંખા પ્રકાશમાં મહારાજે એ જોયું અને ઓસરીમાં જ લપાઈને એક બાજુ એ ઊભા રહ્યા.મહારાજે માત્ર એક ચાદર જ ઓઢી હતી તો પણ અમાસની તોફાની અંધારી રાત્રે એ એકલા ભક્તને દ્વાર અભિસારિકાની જેમ આવી પહોંચ્યા હતા. ‘મને વહાલાનો વિરહ સતાવે રે, નથી રહેવાતું .....’ આંખની અટારીએ આસુંના તોરણ બાંધીને પ્રેમસખી વિરહાતુર બનીને ગાઈ રહ્યા હતા. અંતરમાંથી ઘૂંટાઈને આવતા કરુણ સ્વરોમાં ‘નથી રહેવાતું...... નથી રહેવાતું’ એ શબ્દોને પુન:પુન: ગાઈને સ્વામીએ શ્રીહરિના હૈયાને પણ હચમચાવી મૂક્યું. ઓરડીના ઝાંખા દીવાના ઉજાસમાં સ્વામી મન મૂકીને ભાવ ઠાલવતા હતા. બહાર ઓસરી ઉપર ઊભા ઊભા શ્રીહરિ એમાં ભીંજાતા હતા. આમ ને આમ રાત તૈયારી હતી ને પ્રેમાનંદની નજર અચાનક જ બારણા બહાર પડી , અને એ તો ઓસરીમાં શ્રીહરિને ઊભેલા જોઇને અચંબામાં પડી ગયા. પ્રભુને સત્કારવાની પણ તેમને સૂઝ ન પડી અને એ તો એકદમ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા મંડી પડ્યા. મહારાજે એમને ઊભા કરી પ્રેમપૂર્વક ગાઢ આલિંગન આપ્યું. પછી સ્વામીએ પૂછ્યું ‘ મહારાજ! ક્યારના પધાર્યા છો ?’ મહારાજે પ્રેમસખીને લાડથી ટપારતા કહ્યું ‘મધરાતના અમે તો અહીં જ ઊભા ઊભા તમારા પ્રેમનો આસ્વાદ લઈ રહ્યા છીએ .’ પછી રાજી થઈ મહારાજે પોતાનો ખેસ પ્રેમસખીને ભેટ આપ્યો ને કહ્યું: “ હવે રાખો, રાત ઝાઝી વીતી ગઈ છે!’
अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान
एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है
અંખી આયકે મોય લગી, જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી, તમોને કર જોડી કહીએ
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત
અંગુલીકા મૃદુલ રુપાળીરે, અનુક્રમે નાની મોટી
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે
અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ
અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારી હો
અંતરજામી શ્રીકૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો
અંતરના જામી શું કહીએ આપને, નથી અજાણ્યું આપ થકી તલ ભારજો
અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે
અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી
અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે
અંતે સંતને તેડાવે રે, પ્રભુનું ભજન કરવા
અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો
અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે
અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો
અક્ષરધામથી શ્રીજી પધાર્યા
અક્ષરધામથી સંતોની સંગાથ જો
અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર
અક્ષરના વાસી રે અવની આવીયા
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ
અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે
અક્ષરવાસી વિલાસી વડતાલના રે
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે
અક્ષ્રરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી
અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ
અખંડ રહો મંદિરીયે મારે, મોહી હું તો છોગલીયે તારે રે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર
અખિયનકી લગી ચટકી સજની અંખિ
અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી
અખિયાં અટકી દેખત બનવારી