પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે, ભક્તિ માતા ધર્મ તાતનું નામ રે-૧ કૌશળ દેશમાં ધર્યો અવતાર રે, નોમ અજવાળી રૂડો ચૈતર માસ રે-૨ તેડાવો જોશી ને પુછાવો નામ રે, નામ ધર્યું રૂડું શ્રીઘનશ્યામ રે-૩ મુખડું શોભે અતિ બાલુડે વેષ રે, સુંદર ભૂરા માથે નાના કેશ રે-૪ હરખે ઝુલાવે માતા દૂધ-સાકર પાય રે, માતાને મન (જાણે) વહેલા મોટા થાય રે-૫ રડતાં રમાડતાં પારણિયે પોઢાડે રે, રેશમી દોરી લઈ હીંચકાવે રે-૬ પોઢો પોઢો પ્રભુ જગના આધાર રે, પ્રેમાનંદ નિત્ય નવી લીલા ગાવે રે-૭
પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે, ભક્તિ માતા ધર્મ તાતનું નામ રે
હસમુખભાઈ પાટડિયા
પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે, ભક્તિ માતા ધર્મ તાતનું નામ રે
અજાણ (ગાયક )
પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે, ભક્તિ માતા ધર્મ તાતનું નામ રે
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
ભાવાર્થઃ- એ દાદાખાચરના દરબારગઢમાં ચૈત્ર સુદિ નોમના ઉજવાઈ રહેલા શ્રીહરિ જન્મોત્સવના પ્રસંગે સૌ પ્રથમ સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી આ પદ ગાતા ગાતા કહે છે કે આ પ્રગટપ્રભુ, ભક્તિમાતા અને ધર્મદેવની કૂખે કૌશળદેશમાં છપૈયાપુરે ચૈત્ર સુદિ નોમના રોજ આ શ્રીહરિ પ્રગટ થયા છે. જ્યોતિષીઓને તેડાવી ‘શ્રી ઘનશ્યામ’ એવું રૂડું નામ ધારણ કરાવ્યું છે. ૧૮૩૭ ના ચૈત્ર માસની નોમે જન્મેલા શ્રીહરિની તે સમયની મૂર્તિનું વર્ણન કરતાં સ્વામી લખે છે કે મુખડું અતિ શોભાયમાન છે. બાલુડે વેશ એવા શ્રીહરિને માથે સોનેરી મુગટની ઝાંખી કરાવતા સુંદર ભૂરા કેશ શોભે છે. મા ભક્તિ હરખથી ઝૂલાવે છે. દૂધ-સાકર પાય છે. વળી, જલ્દી મોટો થાય એવી ઈચ્છા છે. જ્યારે જ્યારે બાળ પ્રભુ રડવા લાગે છે. ત્યારે માતા પ્રભુને પારણિયે પોઢાડી રેશમી દોરીથી હીંચકાવતાં-હીંચકાવતાં સુંદર મજાના હાલરડાં ગાય છે. સ્વામી કહે છે કે નિત નિત નવી લીલા કરનાર આ નટવરની દિવ્ય યા માનુષી લીલાનું ગાવણું કરવામાં મને અખંડ આનંદ આવે છે. II૧થી૭II
ઉત્પત્તિઃ- અષાઢી સંવત્ ૧૮૭૦ ના ચૈત્ર સુદિ-૬ ના રોજ ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં શ્રીહરિ સભા કરીને બિરાજમાન થયા હતા. ગુણાતીતાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી, મુક્તાનંદસ્વામી આદિક મોટેરા સંતો તથા દાદાખાચર, માંચાખાચર, હરજી ઠક્કર આદિક અગ્રણી હરિભક્તોને બોલાવી શ્રીહરિએ વાત કરતાં કહ્યું કે, “ભક્તો ! બધા માસમાં આ ચૈત્ર માસ ઉત્તમ ગણાય છે. આ માસમાં કરેલ કથા પારાયણો અને ઊજ્વેલ ઉત્સવોનું ફળ વિશેષ પ્રમાણમાં થાય છે એવો શાસ્ત્રોનો મત છે. વળી, આ માસમાં પિતૃઓની તૃપ્તિ માટે યજ્ઞાદિક પુણ્યદાયી પ્રવૃતિઓ વધુ પ્રમાણમાં થાય છે. એમાંય વળી સોનામાં સુગંધ ભળતાં જેમ અદ્ભુત રીતે સોનું શોભી ઊઠે છે તેમ આ પવિત્ર માસની પવિત્રતામાં અત્યંત વધારો કરવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી પણ આ માસની સુદિ નવમીએ અવતર્યા છે. માટે આપણે સૌએ બે દિવસ પછી આવતી ચૈત્ર સુદિ નોમના રોજ ભગવાન રામચંદ્રજીના પ્રાગટ્યદિનના જન્મ મહોત્સવમાં કીર્તનો ગાઈ ધામધૂમથી ઊજવવો જોઈએ. આ વાત સાંભળી સદ્ગુરુ ગુણાતીતાનંદસ્વામીએ સહેજ ટકોર કરતા કહ્યું કે, ‘મહારાજ ! આપનો જન્મ પણ એ જ દિવસે છે ને ? એટલે આપનો જ જન્મોત્સવ ઊજવીએ તો એ ઉત્સવમાં પેલો ઉત્સવ આવી જાય.’ આ વાત સાંભળી શ્રીહરિ કાંઈ બોલ્યા નહીં. પરંતુ સ્વામીના વિચારમાં શ્રીહરિની મૂક સંમતિ મળી ગઈ જાણી, મોટેરા સંતો હરિભક્તોએ હરિજયંતીના દિવસે શ્રીહરિ જન્મોત્સવ ઉજવવાનું નક્કી કર્યું. આ નિર્ણય થયા બાદ મુક્તાનંદસ્વામીએ કહ્યું કે, ‘બે દિવસ પછી આવતી નવમીના રોજ આ સર્વોપરી સહજાનંદસ્વામીનું પ્રાગટ્ય થયું છે, જેથી આપણે સૌએ અતિ ઉત્સાહભેર ધામધૂમથી સર્વવિધિ સંપન્ન શ્રીહરિ જન્મોત્સવમાં ગાઈ શકાય તેવાં શ્રીહરિ જન્મોત્સવનાં કીર્તનો રચી રાખજો. આ સાંભળી પ્રેમદીવાના પ્રેમસખી પ્રેમાનંદસ્વામીનું હૈયું પ્રેમભક્તિના આનંદે નાચવા માંડ્યું. એને તો ભાવતું હતું અને વૈદ્યે બતાવ્યું. દોડવું હતું ને ઢાળ આવ્યો. જેઓને પોતાના પ્રિયતમ એવા શ્રીહરિનાં જ લીલાચરિત્રો ગાવામાં અખંડ આનંદ વર્ત્તે છે. એવા સર્વ સંતકવિઓએ વાતની વાતમાં કીર્તનો રચી કાઢ્યાં એટલું જ નહીં પરંતુ જેઓએ કદી કીર્તનો બનાવ્યાં જ નહોતાં, જેઓ પીંગળ પણ ભણ્યા નહોતા એવા બ્રહ્મચારી, સંતો અને ભક્તોના મૂકહૃદયને પણ આ જન્મોત્સવના અત્યાનંદથી વાચા ફૂટી નીકળી. કહેવાય છે કે તે દિવસથી દર ચૈત્ર માસની સુદિ, નોમની રાત્રિના દસ વાગ્યે, ‘શ્રીહરિ જન્મોત્સવ’ ઉજવાતો થયો. સદ્ગુરુ પરંપરાગત એવું સાંભળવા મળે છે કે નીચે દર્શાવેલા જન્મોત્સવ અને પ્રભુ મહિમાનાં કીર્તનો તે જ પ્રસંગે રચાણાં છે. તો આવો! ઉત્સવપ્રિય ભક્તો! નિમ્નલિખિત પદોમાં રહેલા ઉત્સવાનંદને માણી ધન્ય બનીએ.
अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान
एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है
અંખી આયકે મોય લગી, જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી, તમોને કર જોડી કહીએ
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત
અંગુલીકા મૃદુલ રુપાળીરે, અનુક્રમે નાની મોટી
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે
અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ
અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારી હો
અંતરજામી શ્રીકૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો
અંતરના જામી શું કહીએ આપને, નથી અજાણ્યું આપ થકી તલ ભારજો
અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે
અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી
અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે
અંતે સંતને તેડાવે રે, પ્રભુનું ભજન કરવા
અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો
અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે
અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો
અક્ષરધામથી શ્રીજી પધાર્યા
અક્ષરધામથી સંતોની સંગાથ જો
અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર
અક્ષરના વાસી રે અવની આવીયા
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ
અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે
અક્ષરવાસી વિલાસી વડતાલના રે
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે
અક્ષ્રરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી
અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ
અખંડ રહો મંદિરીયે મારે, મોહી હું તો છોગલીયે તારે રે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર
અખિયનકી લગી ચટકી સજની અંખિ
અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી
અખિયાં અટકી દેખત બનવારી