ધર્મકુંવર ક્યારે આવશો, વ્હાલા શ્યામ સુજાણ;
તમરે વિના મારા નાથજી, પડ્યા પરવશ પ્રાણ...ધર્મ.૧
વિરહે વ્યાકુળ ચિત્ત મારું, અતિશે અકળાય
જીવન તમને જોયા વિના, ઘડી જંપ ન થાય...ધર્મ.૨
દિવસે તો દિલમાં ગોઠે નહિ, રાત રોઇ રોઇ જાય;
નેણે આસુંની ધારા વહે, ક્યાંય શાંતિ નવ થાય...ધર્મ.૩
મદિર મોહન તમ વિના, ખાલી ખાવાને ધાય;
નિત્યે નિશ્વાસ મૂકું હરિ, કેમે દિવસ ન જાય...ધર્મ.૪
વાઘે છે વિરહ વેદના, વ્હાલા જાણો જરૂર;
દુર્બળ દેહે ખમાય નહિ, ન થાય દુ:ખડા દૂર...ધર્મ.૫
જેમ ચકોરને ચંદ્ર છે, તેમ તમે છો નાથ;
વણદીઠે અકળાઉં છું, ચિત્ત મારું તમ સાથ...ધર્મ.૬
દીનદયાળુ કહી સદા, નિગમાગમ ગાય;
દુ:ખ દેખી શકો દાસનું, એ આશ્ચર્ય ગણાય...ધર્મ.૭
વિનંતી વ્હાલા સુણી મારી, શ્રીહરિ તતખેવ;
જીવન જગદીશાનંદના, દેજો દર્શન દેવ...ધર્મ.૮
ધર્મકુંવર ક્યારે આવશો, વ્હાલા શ્યામ સુજાણ
હેમંત ચૌહાણ
આસ્વાદ : પ્રેમીભક્ત કવિ શ્રી જગદીશાનંદ બ્રહ્મચારી પ્રસ્તુત પદમાં પોતાના પ્રાણપ્યારા પ્રિયતમ સ્વેષ્ટ શ્રી સહજાનંદ સ્વામીના વિરહમાં વ્યાકુળ અંતરે મિલનનો મીઠો તલસાટ અભિવ્યક્ત કરે છે. વિરહાનુભૂતિ પણ ઈશ્વરભક્તિનું અભિન્ન અંગ જ છે. જ્યાં સુધી પ્રેમીભક્ત પરમ વિરહાસક્તિ નથી અનુભવતો ત્યાં સુધી તેનો પ્રેમ નવધા ભક્તિની પરાકાષ્ઠારૂપ પ્રેમલક્ષણા ભક્તિના અંતિમ ચરણે નથી પહોંચતો. ખરેખર તો પરમ વિરહાસક્તિ એ જ પ્રેભુપ્રેમની સર્વોચ્ચ અને મહત્વપૂર્ણ અવસ્થા છે. કવિનું હૈયું આજે પોતાના વ્હાલીડાના વિયોગે વ્યાકુળ બન્યું છે. પ્રીતમ વિના પ્રેમવિયોગી ભક્તના પ્રાણ પરવશ થયાં છે. પ્રાણાધાર પ્રભુના દર્શન વિના દિલને ચેન પડતું નથી. બેકરારીના અજંપામાં દિવસો વીતે છે, જ્યારે રાત્રીના એકાંતમાં વિરહની અકથ્ય વેદના આસુંઓની ધારાઓમાં ધોવાય છે. છતાંય અંતરમાં શાંતિની શીળી છાયા વર્તાતી નથી. જ્યાં સુધી અંતરમાં પ્રભુના સ્વરૂપનો સાક્ષાત્કાર નથી થતો ત્યાં સુધી મનનું મંદિર માણિગરની મૂર્તિ વિના સાવ ખાલી ભાસે છે. સૂનું અંતર કવિને કઠે છે. એમની વિરહવેદના હવે માઝા મૂકે છે. કવિ રસિક પિયા મનોહર મૂર્તિ ઘનશ્યામ પ્રભુને આરતભર્યા અંતરે પોકારે છે : હે નાથ! આ દુર્બળ દેહ હવે વધુ વિરહની વેદના ખમી શકે તેમ નથી. જેમ ચાતક આતુર નયને ચંદ્રને નિરખ્યા કરે છે એમ હે પ્રીતમ! મારું અંતર અહોનિશ આપના દર્શન ઝંખ્યા કરે છે. વ્હાલા! મારું મનડું તો આપની રસિક રૂપમાધુરીએ હરી લીધું છે. વળી શાસ્ત્રોમાં આપને દીનદયાળુનું બિરુદ આપવામાં આવ્યું છે. છતાં પણ આપના આ દાસનું અસહ્ય દુ:ખ આપ દેખી રહ્યા છો પણ દૂર નથી કરતા એ અત્યંત આશ્ચર્યની વાત છે. કૃપાનાથ! મારી અંતરની આટલી આરઝુ સ્વીકારી મને તત્કાળ દર્શન દેવા કૃપા કરશો. કવિ જગદીશાનંદ બ્રહ્મચારીની પ્રસ્તુત વિરહવિભાવના કરુણાત્મક વિયોગશૃંગારનું જ્વલંત દ્રષ્ટાંત છે. પદ સુગેય તથા પ્રાસાદિક છે.
સદ્ગુરુ શ્રી જગદીશાનંદ બ્રહ્મચારીનો જન્મ સંવત ૧૯૨૨માં સૌરાષ્ટ્રના પિપલાણા ગામમાં પવિત્ર બ્રાહ્મણ મહેતા પરિવારમાં થયો હતો. તેઓ બાળપણથી જ અત્યંત ભગવદીય અને વૈરાગ્યવાન હતા. જૂનાગઢ મદિરમાં વિદ્વત્વર્ય અચિંત્યાનંદ બ્રહ્મચારીનો અનાયાસે યોગ થતાં તેઓ બ્રહ્મચારી મહારાજની વિદ્વતા, સત્સંગપરાયણતા અને શ્રીજીમહારજ પ્રત્યેની સર્વોપરી ઉપાસના તથા દ્રઢનિષ્ઠાથી અત્યંત પ્રભાવિત થયા. તત્કાળ તેમણે સ. ગુ. શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારીને પોતાના જ્ઞાનગુરુ તરીકે સ્વીકારી જીવનપર્યંત તેમની પાસે રહેવાનો નિર્ધાર કર્યો. ધ.ધુ. આચાર્ય મહારાજ પાસેથી બ્રહ્મચારીની ભાગવતી દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમણે શાસ્ત્ર, પુરાણ, વ્યાકરણ વગેરેનો અભ્યાસ કવિવર અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે કર્યો. વળી સં. ૧૯૫૩માં તેમણે રાજકોટના જીવણરામ શાસ્ત્રી પાસે સંસ્કૃત વાઙમયનો વિશદ વિદ્યાભ્યાસ કર્યો. બ્રહ્મચારી જગદીશાનંદજી એક પ્રખર શાસ્ત્રજ્ઞ વિદ્વાન તો હતા જ, પરંતુ સાથે સાથે તેઓ એક સિદ્ધહસ્ત રસકવિ હતા. તેમની કાવ્યરચનાઓ ‘રસિક પદ રચના’ નામે પ્રકાશિત થયેલી છે. જગદીશાનંદને કવિવર દલપતરામ સાથે ઘણું હેત હતું. પિંગળશાસ્ત્રનું પૂર્ણ જ્ઞાન તેમને દલપતરામ પાસેથી મળેલું. તેથી ગુરુ ઋણમાંથી મુક્ત થવા માટે બ્રહ્મચારીએ દલપતરામના ગુણાનુવાદ કરતો લઘુગ્રંથ ‘દલપતબત્રીસી’ રચ્યો જે સં. ૧૯૬૨માં રાજકોટથી પ્રસિદ્ધ થયો હતો. જગદીશાનંદ બ્રહ્મચારીએ સત્સંગસાહિત્યની અણમોલ સેવા કરી છે. શ્રીજીમહારાજે પંચાળમાં જે રાસોત્સવ કર્યો તેનું વિશદ વર્ણન કરતો લઘુગ્રંથી ‘પંચાળા-રાસોત્સવ’ તથા શ્રીહરિની અંતર્ધ્યાન લીલાનું વર્ણન કરતો ‘શ્રીહરિ દેહોત્સવ’ ગ્રંથ તેમની અપ્રતિમ સત્સંગસેવાના જીવંત દ્રષ્ટાંતો છે. આ રીતે દેવસેવા, કથાવાર્તા અને સત્સંગ સાહિત્ય નિર્માણ દ્વારા સંપ્રદાયની અનેરી સેવા કરનાર બ્રહ્મનિષ્ઠ કવિ સદ્ગુરુ શ્રી જગદીશાનંદ બ્રહ્મચારી સં. ૧૯૬૮ના કારતક સુદ એકાદશીના દિવસે માણાવદરમાં અક્ષરધામમાં પધાર્યા.
अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान
एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है
અંખી આયકે મોય લગી, જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી, તમોને કર જોડી કહીએ
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત
અંગુલીકા મૃદુલ રુપાળીરે, અનુક્રમે નાની મોટી
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે
અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ
અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારી હો
અંતરજામી શ્રીકૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો
અંતરના જામી શું કહીએ આપને, નથી અજાણ્યું આપ થકી તલ ભારજો
અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે
અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી
અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે
અંતે સંતને તેડાવે રે, પ્રભુનું ભજન કરવા
અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો
અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે
અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો
અક્ષરધામથી શ્રીજી પધાર્યા
અક્ષરધામથી સંતોની સંગાથ જો
અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર
અક્ષરના વાસી રે અવની આવીયા
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ
અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે
અક્ષરવાસી વિલાસી વડતાલના રે
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે
અક્ષ્રરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી
અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ
અખંડ રહો મંદિરીયે મારે, મોહી હું તો છોગલીયે તારે રે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર
અખિયનકી લગી ચટકી સજની અંખિ
અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી
અખિયાં અટકી દેખત બનવારી