મુખ્ય સામગ્રી પર જાઓ

આ વ્રતપુરી વાલો મારો ઘર માની રહેતા

આ વ્રતપુરી વાલો મારો ઘર માની રહેતા;                                                      ઘર માનીને રહેતા હરિ આનંદ સૌને દેતા રે...ટેક. 

આ બ્રહ્માંડમાં સૌથી મોટું, ધામ બનાવ્યું વાલે;                                        પોતાની મૂર્તિ પોતાને હાથે,આંહીં પધરાવી વાલે;                                                 હરિકૃષ્ણ મહારાજ રૂપે આંહીં સદાય સુખડાં દેતા રે...આ૦ || ૧ ||

રામનૌમી ને પ્રબોધિનીના, કરિયા ઉત્સવ વાલે;                            ચરોતરવાસી સુખડાં માણે, ગજવ્યું ગુજરાત વાલે;                                                ભરતખંડના સર્વે મનુષ્યો વ્રતપુરી ખેંચાતા રે...આ૦ || ૨ ||

શિક્ષાપત્રી લખી વડતાલે, ધર્મ ફેલાવ્યો વાલે;                                    સંપ્રદાયનું બાંધ્યું બંધારણ, ગાદી સ્થાપી વાલે;                                                    ગ્રંથો પ્રગટયા ઝાઝા આંહીં, સંવાદો થાતા રહેતા રે...આ૦ || ૩ ||

રંગે રમ્યા ને રાસ રચાવ્યા, જોબનપગીના વાલે;                                    વાસણ સુતારના ઘરમાં રહીને, આનંદ આપ્યો વાલે;                                            જ્ઞાનજીવન આ વ્રતપુરીમાં, વચનામૃત રેલાતાં રે...આ૦ || ૪ ||

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
વડતાલ મહિમા
પુસ્તક :
કીર્તનમાળા-૨
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026