Logo image

માણસનો અવતાર મોંઘો, નહીં મળે ફરી, માન મરડાઈ મોટપ મેલી

માણસનો અવતાર મોંઘો, નહીં મળે ફરી...ટેક.
માન મરડાઈ મોટપ મેલી, ભજી લે હરિ;
	નહીં તો જાશો ચોરાશીમાં, જનમ બહુ ધરી...માણસ૦ ૧
દુ:ખ તણો દરિયાવ મોટો, નહીં શકો તરી;
	શામળિયાને શરણે જાતાં, જશો ઊગરી...માણસ૦ ૨
નિર્લજ્જ તું નવરો ન રહ્યો, ઘર ધંધો કરી;
	માયા માયા કરતો મૂરખ, ન બેઠો ઠરી...માણસ૦ ૩
ચેતી લે ચિત્તમાં વિચારી, ચાલજે ડરી;
	દેવાનંદનો નાથ ભજો, પ્રેમમાં ભરી...માણસ૦ ૪
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
દેવાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
મનુષ્ય, દુર્લભતા
વિવેચન:
ભાવાર્થઃ- દેવાનંદસ્વામી આ અમૂલ્ય મનુષ્ય તનની મહત્તા બતાવવા કહે છે કે, “હે માનવ આ મોંઘો મનુષ્ય દેહ ફરી-ફરી નહીં મળે. સાડા ત્રણ કરોડ કલ્પ વિત્યે આ માણસનો દેહ મળ્યો છે. માટે માન મરડાઈ, મોટપનું અભિમાન છોડી દે. અને ભગવાન ભજી લે નહીંતર અનેક પ્રકારનાં જન્મ ધરી ચોરાસીમાં ભટકવું પડશે. તે યોનિમાં દુઃખનો પાર નથી. એ ભયંકર દુઃખને ભોગવી શકાશે નહીં. એ દુઃખોમાંથી છૂટવા આપણી પાસે કોઈ શક્તિ નથી. એ તો આ પ્રગટ ભગવાનને શરણે જવાથી મૂક્તિ મળે. II૧ થી ૨II હે નિર્લજ્જ માનવ ! તું આ બધી વાતોને ભૂલીને કેવળ ઘરધંધામાં ઘૂસી ગયો. સારીયે જિંદગી માયા મેળવવામાં જ વિતાવી, સગા-કુટુંબને માટે અનેક પ્રકારનાં કાળાં-ધોળાં કર્મો કર્યા જ કર્યા, કોઈ દિવસ ઠરીને ઠામ ન થયો. અર્ધ ઘડી પણ ભગવાનને સંભાર્યા નહીં. II૩II દેવાનંદસ્વામીને ખબર છે કે આ જીવાત્મા ભગવાનને માર્ગે ચાલે તેમ તો નથી. છતાં પણ તેના હેતસ્વી બની પદાંતે સ્વામી કહે છે કે “હજી ચેતી લે ચિત્તમાં વિચારી, કર્મનું ફળ અફર છે. એ નક્કી કરીને જ આ જગતમાં ચાલજે. વળી કાંઈક ભગવાનનો ડર રાખજે. પ્રેમ ભક્તિમાં મશગૂલ બનીને અર્ધ ઘડી પણ ભગવાનનું સ્મરણ કરીશ તો ઉગરી જઈશ. II૪II રહસ્યઃ- પ્રસ્તુત કીર્તનના ચાર પદો છે. ચારે ચાર પદમાં જગત સંબંધી સુખની અસારતા અને ભગવાન સંબંધી સુખની અચળતા બતાવવામાં આવી છે. પદમાં લય, ભાષા, શબ્દો અને વર્ણાનુપ્રાસનું પ્રભુત્વ આકર્ષક છે. તેમજ સર્વત્ર એક જ પ્રકારના અંત્યાનુપ્રાસ ઉલ્લેખનીય છે. આ સંતકવિની સૂત્રાત્મક ઉક્તિઓ, જીવનની ધાર્મિક શક્તિઓ સચોટતાથી રજૂ કરે છે. મનુષ્ય તનની મહત્તા, કાળની કરાળતા અને કર્મોની ભયાનક્તાને કવિની કલમ પ્રત્યક્ષતા અર્પે છે. વિષય ખંડનાત્મક શબ્દોની વેદના જીવાત્માને અતિ અસહ્ય ન લાગે એટલા માટે કવિએ સૂઝપૂર્વક પદનો રાગ શૃંગાર પ્રકૃતિનો પસંદ કર્યો છે. રાગ ખમાચ અને તાલ દાદરા-હીંચ છે. ગેયતાની દ્રષ્ટિએ પદ ઘણું સુગેય, સરળ અને આકર્ષક છે.
ઉત્પત્તિ:
ઉત્પત્તિઃ- ખેડા જિલ્લાના પ્રથમ પગથારે પ્રાચીન ઈતિહાસોનાં શ્વેતાંબરો પહેરીને ઊભેલું ધોળકા. ધોળકા એટલે પાંડવોનું વિશ્રાંતિ ગૃહ અને ગુપ્તવાસનું સ્થાન. આદિકાલથી પવિત્ર મનાતા એવા ધોળકાની (૧૨ ગાઉ) નજીકમાં જ આવેલું સુંદર બળોલ ગામ. સંવત ૧૮૫૯ ના કારતક સુદિ પૂનમને દિવસે ભગવાનને પ્રિય એવા ભાલપ્રદેશના બળવાન એવા બળોલ ગામમાં રત્નુંશાખાના મારૂ ચારણ ગઢવી શ્રી જીજીભાઈને ત્યાં એક પુત્ર-રત્નનો જન્મ થયો. જેનું નામાભિધાન થયું દેવીદાન. તેમના માતુશ્રીનું નામ હતુ–બહેનજી બા. અને તેમની બન્ને બહેનનાં નામ હતાં મધુબા અને બાઈજીબા. દેવીદાનનું મોસાળ મૂળીમાં હતું. દેવીદાન પૂર્વના મહાન મુક્ત હતા. તેથી પાંચ વર્ષની વયે જ પ્રભુ પ્રસન્નતાર્થે ધીંગડા ગામના સીમાડે આવેલ સાંકળેશ્વર મહાદેવના દેવળમાં જઈ કમળપૂજા ચડાવવા તૈયાર થયા. ‘કમળપૂજા’ એટલે? ધડ ઉપરથી શિર ઉતારી શિવને ચરણે ધરી દેવું તે. તથા હાથપગની બધી આંગળીઓના જીવતા નખ ખેંચી શિવને ચડાવવા. આમ, બે પ્રકારની કમળપૂજા મનાય છે. એમાંથી દૈવી પુરુષ દેવીદાન બીજા નંબરની કમળપૂજા ચડાવવા તૈયાર થયા, કે તરત જ શંકર ભગવાને પ્રત્યક્ષ દર્શન દીધાં અને આશીર્વાદ આપતાં કહ્યું, “બેટા–દેવીદાન ! કમળપૂજા ચડાવવાની તારે જરૂર નથી. પ્રગટ પુરુષોત્તમ નારાયણ તારે ગામ આવશે. અને તેમની જીભ કોણીએ અડશે અને તને એ અપનાવશે.” આમ, સ્વજીવનની ભવિષ્યવાણી સાંભળતાં દેવીદાન રાજી થયા ને પાછા ઘરે આવ્યા. સમય જતાં સ્વામિનારાયણ ભગવાન પોતાને ગામ પધાર્યા, અને પોતે તેનું શિષ્યત્વ સ્વીકારી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. ભગવાને તેમનું નામ દેવાનંદસ્વામી પાડ્યું. વિદ્યાભ્યાસ માટે બ્રહ્માનંદસ્વામીને સોંપ્યાં. બહુ જ થોડા સમયમાં દેવાનંદસ્વામીએ ગાયન, વાદન અને કવિત્વ કળા સિદ્ધહસ્ત કરી લીધી. દેવાનંદસ્વામીએ લગભગ ૧૦ થી ૧૨ હજાર પદો બનાવ્યાં છે. તે પદોનું અવલોકન કરતાં સ્પષ્ટ જણાય છે કે વિષય ખંડાત્મક ઉપદેશ આપવાની શૈલી, સંસારની તુચ્છતા. અસારતા અને નાશવંતપણાનું બયાન ખડું કરવાની ખૂબી દેવાનંદસ્વામી જેવી બીજા કોઈની નથી. વળી, દેવાનંદ સ્વામી રાજા- મહારાજાઓની સભામાં પણ દેહ-ગેહ, સગા-સંબંધી, સંપત્તિ-સંતતિ આદિક માયિક પદાર્થની તુચ્છતાને નિર્ભયપણે સ્પષ્ટ રીતે રજૂ કરી દેવામાં પાવરધા હતા. જેનો આપણે અહીં એક પ્રસંગ જોઈએ. એક વખત ભગવાન શ્રીહરિ ધરમપુરના રાજ દરબારમાં પધાર્યા. ત્યારે રાજાએ રાજ ગવૈયાઓ પાસે ગાન કરાવ્યુ. તે ગવૈયાઓના ગાનમાં ભારોભાર અતિ માન હતું. વળી, મનુષ્યની દેહની દુર્લભતાને બદલે સુલભતા બતાવાઈ હતી. આ જોઈ સમય સૂચક શ્રીહરિએ સદ્ગુરુ દેવાનંદસ્વામીને કીર્તનો ગાવાની આજ્ઞા કરી. એટલે પૂર્ણ સંગીતજ્ઞ દેવાનંદસ્વામીએ શાસ્ત્રીય ઢબે કાનરાનાં પદ મારતે તાલમાં ગાવાનાં શરૂ કર્યા. પરંતુ રાજ ગવૈયાનાં દુક્કડ બજાવનારને તાલની ગમ જ પડી નહીં. એટલે રાજગવૈયાનું અભિમાન ઘવાણું. પહેલી જ સ્પર્ધાએ ગવૈયાઓ હાર્યા જાણી દેવાનંદસ્વામીએ તુરત જ મનુષ્યદેહની દુર્લભતાનું પ્રસ્તુત બીજું કીર્તન ઉપાડ્યું. સ્વામીની સમય સૂચકતા, શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન અને સ્પષ્ટવક્તાપણું જોઈ ભગવાન શ્રીહરિ પ્રસન્ન થયા. અને પોતે પહેરેલો ઝરીનો જામો ઉતારી દેવાનંદમુનિને માથે ફેરવી આશ્વાસનરૂપે રાજગવૈયાઓને આપ્યો. પ્રસન્નતાના પ્રતીકરૂપે મુનિને પ્રસાદીની ધોળી ડગલી આપી. જે ડગલી શ્રી હરિએ ઘણીવાર પહેરી હતી. તો કીર્તનભક્તિના પ્યાસી ભક્તો! આવો આપણે સૌ સાથે માણીએ એ ધરમપુરના રાજ દરબારમાં યોજાયેલ સંગીતજ્ઞ સ્પર્ધામાં સ્પષ્ટપણે સણસણતા ચાબખારૂપે નવરચિત રજૂ કરેલ પ્રસ્તુત પદનો આસ્વાદ.

अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧૦

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;      

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;        

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૫ / ૮

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી શ્રીજી પધાર્યા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી સંતોની સંગાથ જો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,          

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૪ / ૮

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;    

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪
www.swaminarayankirtan.org © 2025