છાંડીકે શ્રી કૃષ્ણ દેવ, ઓરકી જો કરૂં સેવ
હસમુખભાઈ પાટડિયા
છાંડીકે શ્રી કૃષ્ણ દેવ, ઓરકી જો કરૂં સેવ
સુરેશ વાડકર
આસ્વાદ : મુક્તાનંદ સ્વામી જ્ઞાનપ્રધાન કવિ છે. એમનાં કાવ્યોમાં સૂક્ષ્મ પૃથક્કરણ , શાંત, તર્કસરણી , પશ્ચત્તાપમાંથી નીતરતું નિશ્ચયાત્મક જ્ઞાન અને ઉચ્ચ વિચારોના મહામૂલા મૌતીકો ઠેર ઠેર દ્રષ્ટિગોચર થાય છે. વ્રજભાષામાં રચાયેલ પ્રસ્તુત પદ પ્રાસાદિકતા, શબ્દસૌષ્ઠવ, અર્થવૈભવ તેમાં જ પદલાલીત્યથી ભરપૂર છે. કાવ્યની પંક્તિએ પંક્તિએ અને શબ્દે શબ્દે કવિના વ્યથિત હૃદયનો પશ્ચાત્તાપ વ્યક્ત થયા વિના રહી શકતો નથી. સ્વામીને ભાન થઇ ગયું છે કે પૂર્ણ પુરુષોત્તમ સ્વામી શ્રી સહજાનંદ વિના અન્યમાં કિંચિત્ પણ નિષ્ઠા રાખીએ તો ભયંકર ભૂલ થઇ ગઈ, પણ હવે પછી આવું કદિ નહિ બને ! અને જો ભૂલેચૂકે પણ એવું થઇ જાય તો સખતમાં સખત સજા ભોગવવા એ તૈયાર છે. અહીં કવિનો દ્રઢ સંકલ્પ અને શ્રીજીમાં અનન્ય નિષ્ઠાની દ્રઢતા પુરવાર થાય છે. “છાંડી કે શ્રીહરિકૃષ્ણદેવ “ એ પંક્તિના ઉપાડ સાથે પદનો પ્રારંભ કરતાં સ્વામી જાહેર કરે છે કે હવેથી પ્રગટ પ્રભુ શ્રી સહજાનંદ સ્વામી સિવાય અન્ય કોઈ દેવ-દેવીની કે સંત ગુરુની જો હું સેવા કરું તો મારો હાથ તીક્ષ્ણ તલવારથી કાપી નાંખતા અચકાશો નહિ. અહીં ‘શ્રીહરિકૃષ્ણદેવ’ એ શબ્દ દ્વારા કવિને પોતાના ઇષ્ટ આરાધ્ય પ્રભુ શ્રી સહજાનંદ સ્વામી જ અભિપ્રેત છે. કૃષ્ણાવતાર પહેલા પણ કૃષ્ણ નામ જાણીતું હતું , એટલું જ નહિ પણ કૃષ્ણ ઉપાસ્ય દેવ ગણાતા. કૃષ્ણ એટલે પોતાના તરફ આકર્ષે તે. અનાદિ પરમતત્વ એ જ કૃષ્ણ યા ને પરમ આકર્ષણનું કારણ છે અને એટલે જ સંપ્રદાયના ગ્રંથોમાં શ્રીજીમહારાજને સ્થાને ઘણી જગ્યાએ શ્રીકૃષ્ણ શબ્દનો પ્રયોગ થયો છે. કવિ આગળ કહે છે.એ પરમ રસિક સ્વરૂપ વિના જો અન્યનું ધ્યાન થઇ જાય તો હૃદયને સખત પ્રહારથી ચીરી નાખો અને એ પ્રભુ સિવાય અન્ય સ્વરૂપને જો મસ્તક ભૂલથી પણ નમી જય તો મારા મસ્તકને ફોડી નાખો. કેટલી બધી પ્રબળતા છે સંકલ્પની! સ્વામી તો માને છે કે જો સહજાનંદ સ્વામી વિના અન્યમાં પ્રતીતિ થઈ જાય તો મારા જેવો કોઈ નીચ ને લબાડ નહિ હોય. સ્વામીએ પોતાના મિષે આપણને જ આ બધું સમજાવ્યું છે અને એ પણ કેટલી બધી સભાનતાથી (awareness), કેટલી બધી દ્રઢતાથી! પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનારાયણ મળ્યા પછી અન્યમાં પ્રતીતિ કરાવી , એ વ્યભિચારિણી ભક્તિ છે. એના જેવું નીચ કર્મ એકેય નથી. અને એના માટે સખતમાં સખત પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ એવી ;સત્સંગની માં’ ગણાતા મૃદુભાષી ઋજુ સ્વભાવના મુક્તાનંદ સ્વામીની દ્રઢ માન્યતા છે, એવું પ્રસ્તુત પદના પઠનથી પ્રતીત થાય છે. આ વ્રજભાષી પદમાં મુક્તમુનિએ સરળ ભાષામાં પણ સરસ રીતે, સચોટતાથી પતિવ્રતા ભક્તિની ટેક પ્રેરણાદાયી બોધકાવ્ય છે.
બ્રહ્મચર્યની સહજ વૃતિ સાથે મુકુંદદાસ યોગ્ય ગુરુની શોધમાં બાબા દ્વારકાદાસથી માંડીને મહંત તુલસીદાસજી પર્યંત અનેક સંત મહાત્માઓને મળી ચૂક્યા હતા, પણ જયારે સદ્ગુરુ રામાનંદ સ્વામીનો મેળાપ થયો ત્યારે જ એમનાં અંતરમાં શાંતિ થઇ અને મુકુંદદાસજી મુકતાનંદ સ્વામી બન્યા. મુક્તાનંદ સ્વામી ગુરુ રામાનંદજીને જ ભગવાન માનતા. ગુરુ પ્રત્યે એમને અપાર નિષ્ઠા હતી. સં. ૧૮૫૬માં શ્રીજીમહારાજ સત્સંગમાં પધાર્યા ને સં. ૧૮૫૮ માં સદ્ગુરુ રામાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને ધર્મધૂરા સોંપી દેહોત્સર્ગ કર્યો. મહારાજે જયારે પોતાનું પૂર્ણ પુરુષોત્તમપણું પ્રગટ કર્યું ને સમાધિ પ્રકરણ ચલાવ્યું ત્યારે ગુરુ પ્રત્યેની અનન્ય નિષ્ઠાને કારણે જ મુક્તાનંદ સ્વામી ખૂબ મૂંઝાયા. પરંતુ કાલવાણીમાં રામાનંદ સ્વામીએ દિવ્યરૂપે દર્શન આપી મુક્તાનંદ સ્વામીની ભ્રમણા ભાંગી એમને શ્રીહરિનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો. આ ઘટના પછી પણ મુક્તમુનિના અંતરમાં ગુરુ પ્રત્યે જે ભગવદ્ભાવ ને મહિમા દ્રઢ થયેલો તે યથાવત્ રહેલો. ગુરુ પ્રત્યેની અનન્ય નિષ્ઠાને કારણે મુક્તમુનિ પોતાની પૂજામાં રામાનંદ સ્વામીની કોપીનનો આડબંધ ગુરુની પ્રસાદીરૂપે રાખતા અને દરરોજ પૂજા કરતી વખતે ખૂબ જ ભક્તિભાવપૂર્વક એ આડબંધને આંખે અડાડતા. એકવાર સદ્ગુરુ પરમચૈતન્યાનંદ સ્વામી સવારે પૂજા કરીને મુક્તાનંદ સ્વામીના આસને સ્વામીના દર્શન કરવા આવ્યા ત્યારે મુક્તમુનિ પૂજા કરી રહ્યા હતા. પરમચૈતન્યાનંદ સવામીને જોઇને મુક્તાનંદ સ્વામીએ એમની પૂજામાંથી ગુરુની કોપીનનો આડબંધ લઈને તેમણે બતાવતાં કહ્યું : ”સ્વામી ! આ રામાનંદ સ્વામીની પ્રસાદી છે, દર્શન કરો.” આ સાંભળી પ્રસાદીના દર્શન કરવાને બદલે પરમચૈતન્યાનંદ સ્વામી આંખો મીંચી આડું જોઈ ગયા. મુક્તમુનિને આશ્ચર્ય થયું : “ કેમ સ્વામી ! શું થયું’ પરમચૈતન્યાનંદ સ્વામી કહે : “હું પતિવ્રતા ભક્ત છું, મારી એકાંતિક ભક્તિ આરાધનામાં અન્યની ઉપાસનાને કોઈ સ્થાન નથી.” મુક્તમુનિ પરમચૈતન્યાનંદ સ્વામીનો ઉપાલંભ સમજી ગયા . એમને પોતાની ભૂલ તત્કાળ સમજાઈ ગઈ , તરત જ પોતાને તાપવા માટે પાસે મૂકેલી સગડીમાં મુક્તાનંદ સ્વામીએ તે પ્રસાદીરૂપ આડબંધનો ટુકડો મૂકી દીધો. સળગતા દેવતામાં ચાર .... ચાર કરતો એ ટુકડો બળી ગયો, સાથે જ પશ્ચાત્તાપના અગ્નિમાં સ્વામીના અંતરના રહ્યા સહ્યા સર્વ સંકલ્પ બળીને ભસ્મસાત્ થઇ ગયા. સ્વામી તો કવિ હૃદય હતા, એમનાં અંતરના ભાવો એમ અવ્યક્ત થોડા બેસી રહે? તરત જ કાવ્યના શબ્દોમાં અંતરની આરત વાણી પ્રગટ થવા માંડી:
अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान
एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है
અંખી આયકે મોય લગી, જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી, તમોને કર જોડી કહીએ
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત
અંગુલીકા મૃદુલ રુપાળીરે, અનુક્રમે નાની મોટી
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે
અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ
અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારી હો
અંતરજામી શ્રીકૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો
અંતરના જામી શું કહીએ આપને, નથી અજાણ્યું આપ થકી તલ ભારજો
અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે
અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી
અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે
અંતે સંતને તેડાવે રે, પ્રભુનું ભજન કરવા
અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો
અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે
અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો
અક્ષરધામથી શ્રીજી પધાર્યા
અક્ષરધામથી સંતોની સંગાથ જો
અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર
અક્ષરના વાસી રે અવની આવીયા
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ
અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે
અક્ષરવાસી વિલાસી વડતાલના રે
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે
અક્ષ્રરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી
અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ
અખંડ રહો મંદિરીયે મારે, મોહી હું તો છોગલીયે તારે રે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર
અખિયનકી લગી ચટકી સજની અંખિ
અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી
અખિયાં અટકી દેખત બનવારી