ભાવાર્થઃ- મુક્તાનંદસ્વામી ગોંડલ દરબાર શ્રી હઠીભાઈને વર્તમાનકાળે પ્રુથ્વી પર વિચરી રહેલ પ્રગટ સ્વરૂપની ઉપાસનાનું મહત્વ આત્યંતિક મોક્ષની બાબતમાં કેટલું આવશ્યક છે? તે સમજાવતા થકા આગળ કહે છે કે, “હે રાજન ! પ્રગટ ભગવાન વિના કોઈ પણ પકારનું સુખ પામી શકાતું જ નથી. ભલેને કોઈ અનેક પ્રકારે નિગમ ગાવે કે કોઈ અનેકવિધ વાતો કરે તોય શું?’ પ્રગટ જળ વિના તરસ છીપે ખરી? અમાસની રાત્રીએ કાગળમાં ચિતરેલા કરોડો સૂર્યો આકાશમાં લટકાડવાથી રાત્રિનો અંધકાર નાશ પામે ખરો? અર્થાત રાતભર રવિની ધૂન લગાડવાથી પ્રકાશનું પાથેય પમાય ખરું? બસ તેમ પ્રગટ પ્રભુ વિના બધી વાત એવી જ છે. મીઠા વિનાનાં ભોજન જેવી છે. અર્થાત ચૈતન્ય વિનાનાં ક્લેવર સમાન છે. જેમ સ્વપનાનાં પંચામૃત ભોજનની ભૂખ ભાંગતી નથી, અમૃત – અમૃત કહેવાથી અમર બનાતું નથી અને ધનની ધૂન લગાવવાથી ધનિક થવાતું નથી ને કદાચ જો ધનનું રટણ કરવાથી ધનિક થઈ જવાતું હોય તો પછી નિર્ધન કોણ રહે? તેમ રાજા – રાજા કરવાથી રાજ મળી જતું હોય તો રંક નજરે જ પડે નહીં, વળી, લાડુ લાડુ કરવાથી ભૂખ ભાંગી જતી હોય તો સૌ કોઈ શા માટે આઠોપહોર કષ્ટ ઉઠાવે? માટે જ કહું છું, કે “હે રાજન! શુદ્ધ મુમુક્ષુને માટે પ્રગટ પ્રભુ વિના એક પણ ઉપાય સુખદાય નથી.” પરોક્ષ ભગવાનની ભક્તિ કરનારો ભક્ત અમાસના ચંદ્રમા જેવો છે અને મનુષ્ય સ્વરૂપ પ્રત્યક્ષ ભગવાનના પ્રસંગવાળો ભક્ત પૂનમનાં ચંદ્ર જેવો છે. માટે પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ પ્રભુને પામવાથી જ પરમ પ્રાપ્તિ પમાય છે. જ્યારે પ્રગટ મળે ભગવાન રે, ત્યારે જનનું કલ્યાણ નિદાન રે, માટે પ્રગટ ચરિત્ર સાંભળવું રે, હોય પ્રકટ ત્યાં આવી મળવું રે, પ્રગટ ભગવાન અને તેના ભક્તનાં દર્શન, સેવા, સમાગમમાં ઉત્સાહભેર વાસ કરનારા ભક્તને ચાલુ સાક્ષાત્કારના ફળરૂપે દિવ્ય, પારલૌકિક આનંદનો સાક્ષાત્કાર થાય છે. મુક્તાનંદસ્વામી કહે છે કે; “હે રાજા! મુને આંખ મીંચીને અંતરમાં જોતા નથી આવડતું મારે ચિત્તે પ્રગટ વિના બીજું નથી ચડતું.” માટે પ્રગટ પ્રભુના જ્ઞાન વિના કદી મોક્ષ થતો નથી. એમ શ્રુતિમાં પણ કહ્યું છે. “ ऋते ज्ञानान्न मुक्तिः “ “ तमेव विदित्वातिमृत्युमेतिनान्यः पन्था विद्यतेडयनाथ्. I” ભગવાનનું સાક્ષાત્ જ્ઞાન થાય ત્યારે જ જીવનું કલ્યાણ થાય છે. જ્યારે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિષે ઈન્દ્રિયો. અંતઃકરણ અને અનુભવ એ ત્રણેયે કરી યથાર્થ જ્ઞાન થાય એટેલે આપણો મોક્ષ થઈ ચૂક્યો. એમાં જરા પણ શંકાને સ્થાન નથી. એ ભક્ત પૂર્ણકામ થઈ ગયો. બ્રહ્મરૂપ થઈ ગયો. આવો પ્રત્યક્ષ ભગવાનના જ્ઞાનનો પ્રતાપ છે. પ્રત્યક્ષ ભગવાનમાં તમામ અવતારો, દેવો, ઈશ્વરો, તથા સર્વગુણ ઐશ્વર્ય અને સકળકળાનો સમાવેશ થાય છે, એવો દ્રઢ નિશ્ચય કરનાર ભક્તને ઉત્તમ નિર્ગુણપણું પ્રાપ્ત થાય છે. સર્વ શક્તિ સંપન્ન પ્રત્યક્ષ સ્વરૂપી મળ્યા પછી ગોલોક, વૈકુંઠ અને બ્રહ્મપુર આદિ ધામ અને તે ધામમાં બિરાજેલ તેજો સ્વરૂપને જોવાની ઈચ્છા રાખી અપૂર્ણપણું માનનાર મહા અજ્ઞાની છે. એ નિશ્ચય રહિત છે. માટે એવાના મુખથી કથા વાર્તા પણ ન સાંભળવી. એના સંગથી નિશ્ચયરૂપી ગર્ભનો પાત થઇ જાય છે. આવું ઝીણવટ ભરેલું જ્ઞાન હે રાજા! સદ્ગુરુનાં પ્રસંગ વિના થતું નથી. એવા ગુરુરૂપ હરિને વિશે પરાપ્રીતિવાળા ભક્તને સર્વ અર્થ પ્રકાશે છે. હે રાજા ! જેને દેહ મુકીને પામવા છે. તે આ છતે દેહે જ મળ્યા છે. આની અનુવૃત્તિ એ જ ભક્તિ, એ જ પરમપદ, એ જ મોક્ષ છે. પ્રગટ ભગવાન અને તેના સંબંધવાળા અનન્ય ભક્તો જે વડે રાજી થાય એનું નામ જ જપ, તપ, વ્રત, દાન, વૈરાગ્ય. એ બધું એની પ્રસન્નતાના સાધનમાં જ આવી ગયું. માટે રાજા! હવે જ્ઞાનરૂપી જૂનો ડગલો ઉતારી આ નવલપ્રભુના નવલ જ્ઞાનરૂપી નવો ડગલો પહેરી લો એટલે પૂર્ણકામ થઈ જશો. આમ, મુક્તાનંદ સ્વામીએ પ્રગટાનંદનાં પ્રેમસ્પંદનોથી રાજા હઠીસિંહની હૈયાવરાળને શાંત કરી, અને અંતમાં કહ્યું કે “પ્રગટની ઉપાસના કેવળ કથન માત્ર નથી. પ્રગટાનંદનો રંગ તો જ્યારે વર્તનમાં વણાય ત્યારે જ તેના અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે.” વર્તન વિહોણી કહેણી ફણ વિનાના બાણ જેવી છે. પ્રગટ સ્વરૂપનું જ્ઞાન સદ્ગુરુની દ્રષ્ટિ વિના જીવનમાં કદી સાકાર થતું જ નથી અને આ પ્રત્યક્ષ શ્રીહરિના જ્ઞાન વિના સારીયે દુનિયા સ્વકર્મનો બોજો ઉપાડી રહી છે. કર્મનું ફળ અફર છે. પરંતુ ગુરુગમથી અને પ્રગટસ્વરૂપના જ્ઞાનથી અશક્ય શક્ય બને, અગોચર ગોચર બને અને અપ્રાપ્ય પ્રાપ્ય થાય છે. તો પછી કાળ, કર્મ અને માયાના બંધનથી મુક્ત થવું એ તો એ ભક્તને મન સહજ હોય છે. રહસ્યઃ- પ્રસ્તુત પદો પ્રગટાનંદના પ્રગાઢપણાથી સભર છે. કવિનો સર્વોત્કૃષ્ટ નિશ્ચય સુંદર રીતે રજૂ કરાયો છે. એમના ભક્ત હૃદયનો ભાવ સાહજિક રીતે વાણીમાં ઊંડી અભિજ્ઞતાનો સંકેત કરે છે. પ્રસ્તુત કીર્તનનાં ચારેય પદોમાં થયેલો અઢાર વખત ‘પ્રગટ’ શબ્દનો પ્રયોગ પ્રગટાનંદનાં સ્પંદનોની ઝાંખી કરાવે છે. પ્રેમભક્તિની ખુમારી પદની હિન્દી વાક્છટામાં ‘તેય’ ‘હમ’ જેવા સર્વનામમાં બરોબર વર્તાય છે. પ્રગટ પ્રેમરસની મસ્તી વિના ‘પ્રગટ કે ગુન હમ ગાવે’ જેવો ઉપાડ ‘પ્રગટ સો ભર ભર પાવે’ જેવી ઉક્તિઓ સ્ફુરે નહીં. કાવ્યમાં ક્રિયા નિર્દેશક એક જ પ્રકારનું પ્રાસ વિધાન દેખાય છે. શબ્દાનુપ્રાસ, વર્ણાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ કવિની કૃતિના કૌશલ્યને વધારે છે. પદનો રાગ કાફી છે. ઢંગ શાસ્ત્રીય છે. પદના ભાવાત્મક શબ્દોનું મૂલ્યાંકન કરતા પ્રસ્તુત પદ શાસ્ત્રીય સંગીતની દ્રષ્ટિએ રાગ દરબારી કાનડામાં ગાવામાં આવે તો ભાવ, શબ્દ અને સૂરના સંયોગથી ગોંડલના હઠીસિંહના દરબારમાં યોજેયેલ સહજાનંદની દરબારી સભાની વાસ્તવિક્તા સહજમાં અનુભવાય છે. કારણ કે રાગ દરબારી કાનડાનું ઉત્પત્તિ સ્થાન કાફી થાટમાં છે. અને તાલ ત્રિતાલ છે. લય મધ્યલય છે.
अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान
एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है
અંખી આયકે મોય લગી, જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી, તમોને કર જોડી કહીએ
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત
અંગુલીકા મૃદુલ રુપાળીરે, અનુક્રમે નાની મોટી
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે
અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ
અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારી હો
અંતરજામી શ્રીકૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો
અંતરના જામી શું કહીએ આપને, નથી અજાણ્યું આપ થકી તલ ભારજો
અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે
અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી
અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે
અંતે સંતને તેડાવે રે, પ્રભુનું ભજન કરવા
અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો
અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે
અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો
અક્ષરધામથી શ્રીજી પધાર્યા
અક્ષરધામથી સંતોની સંગાથ જો
અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર
અક્ષરના વાસી રે અવની આવીયા
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ
અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે
અક્ષરવાસી વિલાસી વડતાલના રે
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે
અક્ષ્રરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી
અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ
અખંડ રહો મંદિરીયે મારે, મોહી હું તો છોગલીયે તારે રે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર
અખિયનકી લગી ચટકી સજની અંખિ
અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી
અખિયાં અટકી દેખત બનવારી