Logo image

હરિજન સાચા રે, જે ઉરમાં હિંમત રાખે

હરિજન સાચા રે, જે ઉરમાં હિંમત રાખે;
	વિપત્તે વરચી રે, કે દી દીન વચન નવ ભાખે...૧
જગનું સુખ દુ:ખ રે, માયિક મિથ્યા કરી જાણે;
	તન ધન જાતાં રે, અંતરમાં શોક ન આણે...૨
પર ઉપકારી રે, જન પ્રેમ નિયમમાં પૂરા;
	દૈહિક દુ:ખમાં રે, દાઝે નહિ સાધુ શૂરા...૩
હરિને સમરે રે, નિત્ય અહોનિશ ઉમંગ ભરિયા;
	સર્વ તજીને રે, નટનાગર વહાલા કરિયા...૪
બ્રહ્માનંદ કહે રે, એવા હરિજનની બલિહારી;
	મસ્તક જાતાં રે, નવ મેલે ટેક વિસારી...૫
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
સ્થળ :
ભાવનગર
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
રૂપાભાઇ
વિવેચન:
ઉત્પત્તિઃ- ભાવનગરના મહારાજા વિજયસિંહજીની કચેરીમાં કીડી ગામના ગરાસિયા રૂપાભાઈ અંગત સેક્રેટરી તરીકે નોકરી કરતા હતા. મહારાજને રૂપાભાઈ ઉપર પ્રગાઢપણે ખૂબજ પ્રેમ હતો. તે બીજા મંત્રીઓને સારું લાગતું નહીં. તેથી મહારાજા આગળ રૂપાભાઈને બદનામ કરવાની યુક્તિઓ અન્ય મંત્રીઓ શોધ્યા કરતા હતા. રૂપાભાઇએ જે મંત્રીને ઉંચો હોદ્દો અપાવ્યો હતો. તે મંત્રીએ જ એક વખત મહારાજાને કહ્યું કે, “તમે રૂપાભાઈના બહુ વખાણ કરો છો અને કહો છો કે રૂપાભાઈ અમારું વચન ક્યારેય લોપે નહીં. પરંતુ એ તમારું વચન માને છે કે ન નહીં તેની ખાતરી કરવી હોય તો કાલે કચેરીમાં રૂપાભાઈને મદ્યપાન કરવાનું કહેજો. જો તે ભર કચેરીમાં તમારો અનાદર ન કરે તો મને પાંચ ખાસડા મારજો. આમ, મમરો મૂકી મહારાજાને ઉશ્કેર્યાં. જેહી તે નીચ બડાઈ પાવા, સૌ પ્રથમ હી શઠ તાહિ નસાવા, ધૂમ અનલ સંભવ સૂનુ ભાઈ, તાહિ બૂજાવ ધન પદવી પાઈ. નીચ માણસ જેનાથી મોટપ પામે છે. એનો જ નાશ કરવા તૈયાર થાય છે. ધૂવાડો અગ્નિથી જનમ્યો છે. છતા એ ધૂંવાડાને જ્યારે મેઘની પદવી મળી ત્યારે વૃષ્ટિ કરીને પોતાના પિતા અગ્નિનો નાશ કરવા તૈયાર થાય છે. જે મંત્રી રૂપાભાઈની મહેરબાનીથી જ મંત્રીપદે આવ્યો હતો તે મંત્રીએ જ રૂપાભાઈને પદભ્રષ્ટ કરવાનું કાવતરું કર્યું. રૂપાભાઈ માથું જતાં પણ મદ્યપાન નહીં કરે એમ તે મંત્રી જાણતો હતો. બીજે દિવસે દારૂની મનવાર ચાલતી હતી તે વખતે રૂપાભાઈને દારૂ આપવાનું મહારાજાએ ખવાસને કહ્યું. ખવાસે દારૂનો પ્યાલો રૂપાભાઈને આપ્યો. રૂપાભાઈએ ન લીધો ત્યારે ખવાસે વિજયસિંહજી સામે જોઈને કહ્યું.”રૂપાભાઈ તો તમારા ભાયત કહેવાય. મારા જેવા ખવાસના હાથે દારૂ ન પીવે તમારા હાથે જ પીવે.” આમ કહીને ખવાસે ઘા માથે મરચું ભભરાવ્યું. મહારાજા તો તરત જ ઊભા થયા. હાથમાં સુવર્ણનો પ્યાલો લઈને મદ્યપાનનો આગ્રહ કરવા માંડ્યાં. છતાં રૂપાભાઈએ ન પીધો. પડખે દુર્જન મંત્રી બેઠો હતો. તેણે કહ્યું, ‘રૂપાભાઈ’ ભર કચેરી વચ્ચે અઢારસો પાદરના ધણીનું અપમાન કરો છો. મહારાજાનાં માન ખાતર પણ તમે થોડો દારૂ પી લો.’ રૂપાભાઈને તો ધર્મસંકટ આવ્યું. રૂપાભાઈએ કહ્યું. ‘મહારાજા’ મેં સ્વામીનારાયણ ભગવાન આગળ મદ્યપાન ન કરવું એવી પ્રતિજ્ઞા લીધી છે. એથી ધડ માથે માથું હોય ત્યાં સુધી તો હું મદ્યપાન કરી શકું નહીં.’ એમ કહીને ભેટમાંથી કટાર કાઢીને મહારાજાના હાથમાં આપીને કહ્યું કે, ‘આ કટારથી મારું માથું કાપીને પછી મારા ગળામાં મદ્ય રેડી દો. તેથી આપનું માન જળવાય. અને મારી પ્રતિજ્ઞા પણ જળવાય.’ આ સાંભળી મહારાજ સિંહાસને બેસી ગયા. એટલે પેલા મંત્રીએ કહ્યું, ‘કાં મહારાજા ! હવે તો અમારું સાચું ને ! તમે રૂપાભાઈ, રૂપાભાઈ કરો છો. પણ રૂપાભાઈએ તમારી ભરકચેરીમાં આબરૂ લીધીને ? હવે અમારી કીમત થઈ ને?’ દુર્જન સજ્જનથી પોતાને શ્રેષ્ઠ માનતો હોય છે. કાગડો હંસથી પોતાને શ્રેષ્ઠ માને છે. રૂપાભાઈના પ્રતિસ્પર્ધી મંત્રીઓએ મહારાજાને ઉશ્કેર્યા. તેથી મહારાજા ઉશ્કેરાણા અને રૂપાભાઈને રાજ્ય છોડીને ચાલ્યા જવાનું કહ્યું. રૂપાભાઈ બહોળા કુટુંબવાળા હતા.ક્યાં જવું અને શું કરવું ? એના એ વિચારમાં બેઠા-બેઠા આખી રાત્રિ સ્વામિનારાયણ ભગવાનની પ્રાર્થના કરી. શ્રીજી મહારાજે રૂપાભાઈનું સંકટ આવ્યું છે. માટે સંકટમાં હિંમત રહે એવું કીર્તન કરીને મોકલો.’ એટલે તરત જ બ્રહ્માનંદસ્વામીએ વીરરસ ભરેલાં ચાર પદો રચીને મોકલ્યાં, જે પદો પાળિયામાં પ્રાણ પૂરે એવી શૌર્યરસની વાત પ્રદર્શિત કરી રહ્યાં છે. તો આ છે એ રૂપાભાઈનાં સંકટમાં સહાયક થનાર બ્રહ્માનંદના બ્રહ્મમસ્તીમાંથી છૂટી પડેલા પ્રસાદીભૂત ચાર પદોમાંનાં પહેલા પદનાં વાક્બાણો.
ઉત્પત્તિ:
ભાવાર્થઃ- સ્વામીએ ભક્તિનું વીરત્વ દાખવતાં ઘણા કીર્તનો રચ્યાં છે. તેમને મન તો શ્રદ્ધેય ભક્ત એ ધર્મવીર છે. સારો શૂરવીર છે. જે ભક્તમાં સર્વ સમર્પણની ભાવના હોય છે. તેમાં નિર્ભયતા અને વીરતા જરૂર હોય છે. સાચો ભક્ત મન, કર્મ, વચનથી અને તન, મન, ધનથી સ્વેષ્ટદેવને વરેલો હોય છે. તેમના પ્રત્યેની અનન્ય નિષ્ઠામાંથી પ્રાણાંતે પણ વિચલિત થતો નથી. ષડુર્મિ અને ત્રિવિધ તાપનાં દુઃખોમાં પણ જે હિંમત હારતો નથી. વિપતિયાં વચનોનો વરસાદ વરસે તો પણ કોઈ દિવસ દીન વચન ભાખતો નથી. સ્વેષ્ટદેવની આજ્ઞા પાળવામાં કદી પાછી પાની કરતો નથી. એ જ સાચો હરિભક્ત છે. II૧II જેણે મહત્ પુરોષોનો સમાગમ કર્યો છે. તે આ મિથ્યા જગતમાં માયિક સુખદુઃખને અસાર, નાશવંત અને તુચ્છ કરીને જાણે છે. પોતાનું અને સગાસંબંધીનું તન અને ધન નાશ પામે તો પણ મનમાં કદી શોક લાવતો નથી. એ જ સાચો હરિજન છે. II૨II ‘परोकारायां साधवः’ ના ન્યાયે જે પર ઉપકારી છે. જેઓ તમામ નિયમો પ્રેમથી સંપૂર્ણ પાળે છે. દેહસંબંધી દુઃખથી કદી અંતરમાં દાઝતા નથી. એ જ સાચા શૂરવીર સાધુ છે. II૩II રાત્રિ–દિવસ અખંડ ઉમંગસભર જે હરિને સમરે છે. જેણે સર્વ સુખ, સંપત્તિ અને સંબંધીઓને તજીને કેવળ ભગવાનને જ વ્હાલા કર્યા છે. એવા હરિજન માવાનાં મુગટ સમાન છે. II૪II બ્રહ્માનંદસ્વામી કહે છે ક��, એવા હરિભક્તની બલિહારી છે કે જે સો-સો માથાં વધેરાય જાય તો પણ ઈષ્ટદેવની આજ્ઞા પાળવારૂપ ટેકને મૂક્તા નથી. II૫II રહસ્યઃ- પ્રસ્તુત પદના ચારેય પદોમાં કવિની કલમે લખાયેલો દરેક શબ્દ પાળિયામાં પણ પ્રાણ પૂરે તેવો છે. શૂરવીર ભક્તની આ ચરમસીમા છે. ‘ટેક ન મેલે રે મર્દ ખરા જગમાંહી.’ ‘તન ધન જાતાં રે અંતરમાં શોક ન આણે.’ આ જેવી અનેક ઉક્તિઓ ટેકીલાની ટેકને મજબૂત ટેકો આપે છે. ગુરુ, ઈષ્ટદેવ અને ધર્મને માટે શહીદ થઈ જનારને જ ભ્રહ્માનંદ ખરા શૂરવીર ધર્મવીર ગણે છે. પદઢાળ, તાલ રાગ અને શબ્દો શૌર્યસભર છે. સરળ છે. અને ગેયતાની દ્રષ્ટિએ સુગમ પણ છે. તાલ કહરવા છે. ઢાળ લોકઢાળ છે. આ પદ રોજ ગાનારા ભક્તથી તેમનાં ઈન્દ્રિયો અંતઃકરણ હંમેશા ધ્રૂજતાં રહે છે. એટલે જ શ્રીહરિએ લોયાના બીજા વચનામૃતમાં શૂરવીર ભક્ત ઉપર વિશેષ પ્રસન્નતા બતાવી છે. કહેવાય છે કે આ ચાર પદો વાંચી રૂપાભાઈની શૂરવીરતા ભરી ટેકમાં અણધાર્યો વધારો થતાં શ્રીહરિએ તરત જ સહાય કરી હતી.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025