Logo image

આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગેજી ;૩/૮

 આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગેજી;
	અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી, તારી નજરું આગેજી...૧
અંગે તેલ ફૂલેલ લગાવે, માથે છોગાં ઘાલેજી;
	જોબન ધનનું જોર જણાવે, છાતી કાઢી ચાલેજી...૨
જેમ ઉંદરડે દારૂ પીધો, મસ્તાનો થઈ ડોલેજી;
	મગરૂરીમાં અંગ મરોડે, જેમ તેમ મુખથી બોલેજી...૩
મનમાં જાણે મુજ સરીખો, રસિયો નહિ કોઈ રાગીજી;
	બારે તાકી રહી બિલાડી, લેતાં વાર ન લાગીજી...૪
આજ કાલમાં હું તું કરતાં, જમડા પકડી જાશેજી;
	બ્રહ્માનંદ કહે ચેત અજ્ઞાની, અંતે ફજેતી થાશેજી...૫ 
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
સંબોધન
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષણ :
નિમ્ન કક્ષા
વિવેચન:
ભાવાર્થઃ- પ્રસ્તુત કીર્તનનું આ ઉત્કૃષ્ટ અને પ્રસિદ્ધ ત્રીજું પદ છે. આ પદમાં સ્વામી પોતાની અસ્ખલિત વાક્ધારાને વહેવડાવતાં મનુષ્ય જીવનની ક્ષણભંગૂરતા સચોટ રીતે બતાવે છે. આ શરીર તો પતંગિયા જેવું ક્ષણભંગૂર છે. રૂપાળુ છે પણ લાંબો સમય ટકી શકે તેમ નથી. ‘નભ તારા નખથી ઉખેડતા કરી અંજલી સિંધુ પી જતાં.’ એવા સમર્થ પણ અસંખ્ય ગયા. અનેકે સત્તા, સંપત્તિ અને શક્તિ મેળવી પણ એ એમની પાસે રહી કેટલો સમય ? રાવણ, સિકંદર અને મુંજ જેવા ભલભલા રાજાઓ પણ આવ્યા અને ગયા. મ્રુત્યુ સામે કોઈ જીત્યું નથી. કોઈ ફાવ્યું પણ નથી. એ આપણે નજરે જોઈએ છીએ. II૧II જુવાનીના જોરમાં કેટલાયે છેલબટાઉપણું દાખવ્યું. શરીરે અત્તર તેલ લગાડ્યાં, માથે મોરપીછવાળા મુગટ ધાર્યાં. ઝરિયાની કોરવાળી પાઘડી માથે બાંધી, તેમા છોગું ફરકતું મૂક્યું. (અત્યારે પ્રવર્તમાન સમયે માથાના વાળ કટીંગની અવનવી ફેશનમાં લાગુ પડે છે.) કવિ કહે છે કે ગમે તે વેશભૂષામાં, કેશભૂષામાં કે જુવાની અને ધનસત્તાના મદમાં માનવી છાતી કાઢીને ચાલે છે. પણ આ બધું કેટલો સમય ? સ્વામી ઉંદર-બિલાડીના એક સુંદર દ્રષ્ટાંતથી આ વાત સમજાવે છે. એક ઉંદરડો (બ્રહ્માનંદસ્વામી ઉંદરની તુચ્છતા બતાવવા ‘ડો’ પ્રત્યય લગાડે છે.) સાવ તુચ્છ જીવ. એમાં વળી પાછો દારૂ પીધો. એનામાં દારૂ પચાવવાનું બળ હોય જ ક્યાંથી ? એ તો દારૂના નશામાં સાવ છકી ગયો. પોતાના જેવો કોઈ મસ્તીવાળો, રસિયો અને આનંદી નથી. એમ માની મદમાં ફૂલાવા લાગ્યો, ને ફાવે તેમ બોલવા, વર્તવા લાગ્યો. જાણે મારા જેવો કોઈ નહીં, હવે તો હું બધાને પૂગીને પાછો વળું એવો હું બળિયો થયો છું. મારે હવે કોની બીક? પણ એ દારૂના નશામાં છકેલા ઉંદરને ક્યાં ખબર હતી? કે એક જ ઝપાટે મારો કોળિયો કરી જનારી બિલાડી બહાર તૈયાર જ બેઠી છે. ખરેખર તે ઉંદરડાએ વહેલી તકે જે વિચારવું જોઈતું હતું તે ન વિચાર્યું. બિલાડીનું તો અસ્તિત્વ જ તેની નજરમાં ન આવ્યું. આ બિલાડી એ જ મૃત્યુકાળ નામનો પોલિટિકલ એજેન્ટ. અને ઉંદરડો એ જ સત્તાસંપત્તિ અને સુંદરીના સુખરૂપ દારૂના નશામાં છકી ગયેલો આજનો યુવાન! બિલાડીને ઉંદરડાનો શિકાર કરતાં વાર કેટલી? ઉંદરડો પોતાની મનમાની કરતો હતો. પણ તે તો બિલાડીની રહેમથી. બિલાડીએ તરાપ ન મારી ત્યાં સુધી એનો છાક ચાલ્યો. પરંતુ જ્યારે બિલાડીએ પંજો ઉઠાવ્યો કે તેનો બધો રોફ-રૂઆબ ચાલ્યો ગયો. તે હતો ન હતો થઈ ગયો. એમ ઉંદર-બિલાડીના દ્રષ્ટાંતથી સ્વામી સમજાવે છે કે જોબનધનનાં જોરથી છાકમછેલ કરનાર આજનાં યુવાનરૂપ ઉંદરડાનું પણ એવું જ છે. યૌવન, ધન-સંપત્તિ ને સત્તા આ ત્રણેયમાં જો વિવેક ન રહે તો અનર્થ કરવાનું ભારે બળ વધે છે. જો કાચી બુદ્ધિના માનવને તેની લાયકાત કરતાં વધુ સાંસારિક સુખ મળે તો તેના મોહમાં તે છકી જઈને ન કરવાનું કરી બેસે છે. ગુણ અને માન આપવાની બાબત પણ આવી જ છે. તન-ધન તો નાશવંત છે. એની બડાઈ કરવાની હોય નહીં. પરંતુ મનુષ્ય મોહવશ થઈ ક્યારેક અસાર, તુચ્છ અને ક્ષણભંગૂર વસ્તુઓનો મહિમા સમજી તેની પાછળ પાગલ બની ઘૂમ્યા કરે છે. સ્વમનેચ્છાના રંગમાં રાચ્યા કરે છે. પણ અંતે તેનાં દુષ્પરિણામો આવતાં પસ્તાય છે. ભલે આપણે આજે હું-તું અને મારું-તારું કરવામાં મશગુલ બન્યા છીએ, પરંતુ આજ અગર કાલમાં કાળના કર્મચારીઓ એવા જમડા પકડીને ધર્મરાજાની આગળ ઊભો રાખી ત્રણેય પ્રકારના કરેલા કર્મોનું ખાતું ખોલીને દંડાત્મક ન્યાય આપશે, ત્યારે ખૂબ પસ્તાવુ પડશે અર્થાત્ ફજેતીનો કોઈ પાર નહી રહે. માટે સ્વામી કહે છે કે આત્માઓ હવે ચેતો ! ચેતો ! જીવન સાફલ્ય અને આત્યંતિક મોક્ષ મેળવવા માટે સત્પુરુષના સંગથી સાચું જ્ઞાન જેટલું વહેલું આવે એટલું સારું. II૨ થી ૫II રહસ્યઃ- ઉપરોક્ત પ્રસ્તુત બંને પદ ચારણી ઢબે ગવાતાં ભજન ઢાળની દ્રષ્ટિએ ખૂબજ સુગેય છે. ચોર, શ્વાન, ફૂટી કોડી, બાજી, પતંગ, ઉંદરડો, બિલાડી આદિક રૂપકો યોજી કવિએ પોતાની વાત માર્મિક રીતે રજૂ કરી વાસ્તવિક પરિસ્થિતિ તરફ આપણું ધ્યાન દોર્યું છે. શરીર, સુખ-સંપત્તિ, સુંદરી, સમય અને માયિક તમામ પદાર્થોની ક્ષણભંગૂરતા, તુચ્છતા, અસારતા આબેહૂબ રીતે રજૂ કરાઈ છે. ક્યાંક-ક્યાંક ગાફેલ, કુબુદ્ધિ, મૂર્ખ, ચોર જેવી લાગણી વિવશતાનો ભાવ ક્રોધાવેશમાં વર્તાય છે. પરંતુ તેના મૂળમાં અર્થાત્ કવિના હૃદયમાં તો મુમુક્ષુ માટેનો ઊંડો સ્નેહ જ સહેલાઈથી જોઈ શકાય છે. પ્રસ્તુત પદનાં અન્ય પદોનું પ્રેક્ષણ કરતાં પ્રાચીન, અર્વાચીન અને તત્કાલિન સામાજિક પરિસ્થિતિનું આબેહૂબ સુંદર ચિત્ર રજૂ કરાયું છે. કાવ્યની વાણી સરળ છતાં મર્મસ્પર્શી છે. ભવિષ્યકાળ નિર્દેશક એક સરખી પ્રાસ રચના સાદ્યંત રાખી છે. બ્રહ્માનંદ જેવા પદ્ય પ્રભુત્વ ધરાવનાર કવિ માટે તો એ સહજતા લેખાઈ છે. એની સુગેયતા ઘણી જાણીતી છે. ઢાળ ધોળ છે. પણ શબ્દમાપ જોતાં ભજન શૈલીથી પણ ગાઈ શકાય તેમ છે. દીપચંદી, કહરવા, ડબલ-સિંગલ અને રૂપક જેવા તાલોમાં ગાયક-વાદકની કુશળતા મુજબ આ પદો રજૂ કરી શકાય તેમ છે.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલાલો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી શ્રીજી પધાર્યા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી સંતોની સંગાથ જો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫
www.swaminarayankirtan.org © 2025