આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગેજી; અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી, તારી નજરું આગેજી...૧ અંગે તેલ ફૂલેલ લગાવે, માથે છોગાં ઘાલેજી; જોબન ધનનું જોર જણાવે, છાતી કાઢી ચાલેજી...૨ જેમ ઉંદરડે દારૂ પીધો, મસ્તાનો થઈ ડોલેજી; મગરૂરીમાં અંગ મરોડે, જેમ તેમ મુખથી બોલેજી...૩ મનમાં જાણે મુજ સરીખો, રસિયો નહિ કોઈ રાગીજી; બારે તાકી રહી બિલાડી, લેતાં વાર ન લાગીજી...૪ આજ કાલમાં હું તું કરતાં, જમડા પકડી જાશેજી; બ્રહ્માનંદ કહે ચેત અજ્ઞાની, અંતે ફજેતી થાશેજી...૫
આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગેજી
હરિસ્વરૂપદાસજી સ્વામી
આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગેજી
પ્રફુલ દવે
આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગેજી
હસમુખભાઈ પાટડિયા
ભાવાર્થઃ- પ્રસ્તુત કીર્તનનું આ ઉત્કૃષ્ટ અને પ્રસિદ્ધ ત્રીજું પદ છે. આ પદમાં સ્વામી પોતાની અસ્ખલિત વાક્ધારાને વહેવડાવતાં મનુષ્ય જીવનની ક્ષણભંગૂરતા સચોટ રીતે બતાવે છે. આ શરીર તો પતંગિયા જેવું ક્ષણભંગૂર છે. રૂપાળુ છે પણ લાંબો સમય ટકી શકે તેમ નથી. ‘નભ તારા નખથી ઉખેડતા કરી અંજલી સિંધુ પી જતાં.’ એવા સમર્થ પણ અસંખ્ય ગયા. અનેકે સત્તા, સંપત્તિ અને શક્તિ મેળવી પણ એ એમની પાસે રહી કેટલો સમય ? રાવણ, સિકંદર અને મુંજ જેવા ભલભલા રાજાઓ પણ આવ્યા અને ગયા. મ્રુત્યુ સામે કોઈ જીત્યું નથી. કોઈ ફાવ્યું પણ નથી. એ આપણે નજરે જોઈએ છીએ. II૧II જુવાનીના જોરમાં કેટલાયે છેલબટાઉપણું દાખવ્યું. શરીરે અત્તર તેલ લગાડ્યાં, માથે મોરપીછવાળા મુગટ ધાર્યાં. ઝરિયાની કોરવાળી પાઘડી માથે બાંધી, તેમા છોગું ફરકતું મૂક્યું. (અત્યારે પ્રવર્તમાન સમયે માથાના વાળ કટીંગની અવનવી ફેશનમાં લાગુ પડે છે.) કવિ કહે છે કે ગમે તે વેશભૂષામાં, કેશભૂષામાં કે જુવાની અને ધનસત્તાના મદમાં માનવી છાતી કાઢીને ચાલે છે. પણ આ બધું કેટલો સમય ? સ્વામી ઉંદર-બિલાડીના એક સુંદર દ્રષ્ટાંતથી આ વાત સમજાવે છે. એક ઉંદરડો (બ્રહ્માનંદસ્વામી ઉંદરની તુચ્છતા બતાવવા ‘ડો’ પ્રત્યય લગાડે છે.) સાવ તુચ્છ જીવ. એમાં વળી પાછો દારૂ પીધો. એનામાં દારૂ પચાવવાનું બળ હોય જ ક્યાંથી ? એ તો દારૂના નશામાં સાવ છકી ગયો. પોતાના જેવો કોઈ મસ્તીવાળો, રસિયો અને આનંદી નથી. એમ માની મદમાં ફૂલાવા લાગ્યો, ને ફાવે તેમ બોલવા, વર્તવા લાગ્યો. જાણે મારા જેવો કોઈ નહીં, હવે તો હું બધાને પૂગીને પાછો વળું એવો હું બળિયો થયો છું. મારે હવે કોની બીક? પણ એ દારૂના નશામાં છકેલા ઉંદરને ક્યાં ખબર હતી? કે એક જ ઝપાટે મારો કોળિયો કરી જનારી બિલાડી બહાર તૈયાર જ બેઠી છે. ખરેખર તે ઉંદરડાએ વહેલી તકે જે વિચારવું જોઈતું હતું તે ન વિચાર્યું. બિલાડીનું તો અસ્તિત્વ જ તેની નજરમાં ન આવ્યું. આ બિલાડી એ જ મૃત્યુકાળ નામનો પોલિટિકલ એજેન્ટ. અને ઉંદરડો એ જ સત્તાસંપત્તિ અને સુંદરીના સુખરૂપ દારૂના નશામાં છકી ગયેલો આજનો યુવાન! બિલાડીને ઉંદરડાનો શિકાર કરતાં વાર કેટલી? ઉંદરડો પોતાની મનમાની કરતો હતો. પણ તે તો બિલાડીની રહેમથી. બિલાડીએ તરાપ ન મારી ત્યાં સુધી એનો છાક ચાલ્યો. પરંતુ જ્યારે બિલાડીએ પંજો ઉઠાવ્યો કે તેનો બધો રોફ-રૂઆબ ચાલ્યો ગયો. તે હતો ન હતો થઈ ગયો. એમ ઉંદર-બિલાડીના દ્રષ્ટાંતથી સ્વામી સમજાવે છે કે જોબનધનનાં જોરથી છાકમછેલ કરનાર આજનાં યુવાનરૂપ ઉંદરડાનું પણ એવું જ છે. યૌવન, ધન-સંપત્તિ ને સત્તા આ ત્રણેયમાં જો વિવેક ન રહે તો અનર્થ કરવાનું ભારે બળ વધે છે. જો કાચી બુદ્ધિના માનવને તેની લાયકાત કરતાં વધુ સાંસારિક સુખ મળે તો તેના મોહમાં તે છકી જઈને ન કરવાનું કરી બેસે છે. ગુણ અને માન આપવાની બાબત પણ આવી જ છે. તન-ધન તો નાશવંત છે. એની બડાઈ કરવાની હોય નહીં. પરંતુ મનુષ્ય મોહવશ થઈ ક્યારેક અસાર, તુચ્છ અને ક્ષણભંગૂર વસ્તુઓનો મહિમા સમજી તેની પાછળ પાગલ બની ઘૂમ્યા કરે છે. સ્વમનેચ્છાના રંગમાં રાચ્યા કરે છે. પણ અંતે તેનાં દુષ્પરિણામો આવતાં પસ્તાય છે. ભલે આપણે આજે હું-તું અને મારું-તારું કરવામાં મશગુલ બન્યા છીએ, પરંતુ આજ અગર કાલમાં કાળના કર્મચારીઓ એવા જમડા પકડીને ધર્મરાજાની આગળ ઊભો રાખી ત્રણેય પ્રકારના કરેલા કર્મોનું ખાતું ખોલીને દંડાત્મક ન્યાય આપશે, ત્યારે ખૂબ પસ્તાવુ પડશે અર્થાત્ ફજેતીનો કોઈ પાર નહી રહે. માટે સ્વામી કહે છે કે આત્માઓ હવે ચેતો ! ચેતો ! જીવન સાફલ્ય અને આત્યંતિક મોક્ષ મેળવવા માટે સત્પુરુષના સંગથી સાચું જ્ઞાન જેટલું વહેલું આવે એટલું સારું. II૨ થી ૫II રહસ્યઃ- ઉપરોક્ત પ્રસ્તુત બંને પદ ચારણી ઢબે ગવાતાં ભજન ઢાળની દ્રષ્ટિએ ખૂબજ સુગેય છે. ચોર, શ્વાન, ફૂટી કોડી, બાજી, પતંગ, ઉંદરડો, બિલાડી આદિક રૂપકો યોજી કવિએ પોતાની વાત માર્મિક રીતે રજૂ કરી વાસ્તવિક પરિસ્થિતિ તરફ આપણું ધ્યાન દોર્યું છે. શરીર, સુખ-સંપત્તિ, સુંદરી, સમય અને માયિક તમામ પદાર્થોની ક્ષણભંગૂરતા, તુચ્છતા, અસારતા આબેહૂબ રીતે રજૂ કરાઈ છે. ક્યાંક-ક્યાંક ગાફેલ, કુબુદ્ધિ, મૂર્ખ, ચોર જેવી લાગણી વિવશતાનો ભાવ ક્રોધાવેશમાં વર્તાય છે. પરંતુ તેના મૂળમાં અર્થાત્ કવિના હૃદયમાં તો મુમુક્ષુ માટેનો ઊંડો સ્નેહ જ સહેલાઈથી જોઈ શકાય છે. પ્રસ્તુત પદનાં અન્ય પદોનું પ્રેક્ષણ કરતાં પ્રાચીન, અર્વાચીન અને તત્કાલિન સામાજિક પરિસ્થિતિનું આબેહૂબ સુંદર ચિત્ર રજૂ કરાયું છે. કાવ્યની વાણી સરળ છતાં મર્મસ્પર્શી છે. ભવિષ્યકાળ નિર્દેશક એક સરખી પ્રાસ રચના સાદ્યંત રાખી છે. બ્રહ્માનંદ જેવા પદ્ય પ્રભુત્વ ધરાવનાર કવિ માટે તો એ સહજતા લેખાઈ છે. એની સુગેયતા ઘણી જાણીતી છે. ઢાળ ધોળ છે. પણ શબ્દમાપ જોતાં ભજન શૈલીથી પણ ગાઈ શકાય તેમ છે. દીપચંદી, કહરવા, ડબલ-સિંગલ અને રૂપક જેવા તાલોમાં ગાયક-વાદકની કુશળતા મુજબ આ પદો રજૂ કરી શકાય તેમ છે.
अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान
एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है
અંખી આયકે મોય લગી, જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી, તમોને કર જોડી કહીએ
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત
અંગુલીકા મૃદુલ રુપાળીરે, અનુક્રમે નાની મોટી
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે
અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ
અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારી હો
અંતરજામી શ્રીકૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો
અંતરના જામી શું કહીએ આપને, નથી અજાણ્યું આપ થકી તલ ભારજો
અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે
અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી
અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે
અંતે સંતને તેડાવે રે, પ્રભુનું ભજન કરવા
અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો
અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે
અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો
અક્ષરધામથી શ્રીજી પધાર્યા
અક્ષરધામથી સંતોની સંગાથ જો
અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર
અક્ષરના વાસી રે અવની આવીયા
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ
અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે
અક્ષરવાસી વિલાસી વડતાલના રે
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે
અક્ષ્રરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી
અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ
અખંડ રહો મંદિરીયે મારે, મોહી હું તો છોગલીયે તારે રે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર
અખિયનકી લગી ચટકી સજની અંખિ
અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી
અખિયાં અટકી દેખત બનવારી