બોલ્યા શ્રીહરિ રે, સાંભળો નરનારી હરિજન; મારે એક વાર્તા રે, સહુને સંભળાવ્યાનું છે મન ...૧ મારી મૂરતિ રે, મારા લોક ભોગ ને મુક્ત; સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત ...૨ મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ; સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ ...૩ અતિ તેજોમય રે, રવિ શશી કોટિક વારણે જાય; શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય ...૪ તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર; દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર ...૫ જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન; સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન ...૬ અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય; મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય ...૭ એમ મને જાણજો રે, મારા આશ્રિત સૌ નરનારી; મેં તમ આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી ...૮ હું તો તમ કારણે રે, આવ્યો ધામ થકી ધરી દેહ; પ્રેમાનંદનો રે, વાલો વરસ્યા અમૃત મેહ ...૯
બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન
સમૂહગાન
બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવાર્થઃ- સ્વયં શ્રીહરિ દરેક ભક્તજનને સાવધાન કરી પોતાની અતિ રહસ્યની, અગત્યની એક વાર્તા કરવામાં તત્પરતા બતાવે છે. II૧II મારી મૂર્તિ, મારું ધામ, એ ધામના ઉપયોગમાં આવતા સર્વભોગ અને ધામના સંગી સર્વ મુક્ત વિશુદ્ધ બ્રહ્મરૂપ અને મનુષ્યાકારે હોવા છતા દિવ્ય છે. પરંતુ સત્પુરુષ પાસેથી યુક્તિ શીખ્યા વિના તેને જોઈ કે અનુભવી શકાતા નથી. અદ્વિતીય આત્મસાક્ષાત્કારને પામેલા તત્વજ્ઞ ગુરુની દ્રષ્ટિ લીધા વિના ધામ-ધામી નયન ગોચર હોવા છતાં અગોચર અને અપ્રાપ્ય રહે છે. II૨II નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ તે મારું ધામ છે. અમૃતના વિશેષણથી અક્ષરના નામનો નિર્દેશ કરે છે. અમૃત દ્વિઅર્થી શબ્દ છે. અ + મૃત =’અમૃત’ એટલે કે જેનું મ્રુત્યુ નહીં કહેતા જેનો ક્ષય નથી. અર્થાત્ જે તત્વ ક્ષરભાવને પામતું નથી તેવા તત્વને પણ અમૃત કહેવાય છે. ‘न क्षरति इति अक्षर’ અક્ષર પોતે તો કદી ક્ષર ભાવને પામતું જ નથી. પરંતુ ક્ષર તત્વનો સંયોગ કરનાર સર્વપદાર્થ માત્ર અમર બની જાય છે. જેમ અમૃત કદી વિષથી પરાભવ પામતું નથી તેમ અક્ષરામૃતનું પાન કરનાર પામર પણ પંચવિષયોરૂપ વિષથી પરાભવને પામતો નથી. એટલે અહીં શ્રીહરિએ અક્ષરને અમૃતની ઉપમા આપી છે. વળી અક્ષર સર્વ, સામર્થી, દિવ્ય શક્તિ તથા દિવ્ય અને માનુષી કલ્યાણકારી ગુણેયુક્ત અને પુરુષોત્તમના આનંદેયુક્ત રહી એકકળાવચ્છિન્ને સર્વને પ્રત્યક્ષ કરનાર છે. મુક્તોને શુદ્ધ કરી ધામીનું મિલન કરાવનાર છે વળી, દિવ્યગુણોએ અતિ તેજોમય છે. જેના તેજની આગળ કોટિ સૂર્ય-ચંદ્રનું તેજ શા હિસાબમાં! અતિ તેજોમય હોવા છતાં મનુષ્યરૂપ અક્ષરનું ગુણમય તેજ શીતળ છે, શાંત છે. આનંદમય છે. અને મુક્તને ઉપાસના કરવા યોગ્ય છે . છતાં, તે અનુપમ છે. II૩-૪II “स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्“ ‘ભગવત્ સ્વરૂપના બળનો લેશમાત્ર હોય તો પણ મોટા ભય થકી રક્ષાને કરે છે.’ એવા મનુષ્યરૂપ અક્ષરમાં હું દિવ્ય છતાં દ્વિભુજપણે સદા સાકાર સ્વરૂપે વિચરું છું તો પણ દેવોને દુર્લભ છું, કારણ પરમ ગુરુના પરમાશ્રય વિના મારા મહિમાના પારને કોઈ પામી શક્તું નથી કારણ કે એ સ્વતઃ સિદ્ધ છે. નિર્ગુણ છે. ચોવીસ તત્વાત્મક બ્રહ્માંડને પણ ચૈતન્ય કરી સર્વ ક્રિયા કરવાનું સામર્થ્ય આપનાર છે. અન્વયપણે વર્તી જડને ચૈતન્ય અને ચૈતન્યને જડ કરવામાં શક્તિમાન છે. છતા પ્રકૃતિ પુરુષથી પર છે. “निरंजन: परमं साम्यमुपैति” માયાનાં અંજનથી કહેતા માયાના આવરણ રહિત છે. વળી, ઉપાસક પરમાત્માની ઉપાસના કરવાથી પરમ સામ્ય અર્થાત્ તુલ્યભાવને પામે છે. એ બ્રહ્મમુક્તોની સભામાં સ્વતંત્ર છે. જ્યારે પુરુષોત્તમની આગળ પરતંત્રપણે વર્તે છે. વળી, મુણ્ડક ઉપનિષદમાં કહ્યું છે કે “ तपसा चीयते ब्रह्म” બ્રહ્મ પોતે પોતાના અસાધારણ વિજ્ઞાનથી સૃષ્ટિ કરવામાં ઉન્મુખ થાય છે. અર્થાત્ ‘ सः ऐक्षत ‘ એમ બ્રહ્મનું માયા સામું ઈક્ષણ થવાથી સર્ગ થાય છે. ભક્તો આવું મારું પારલૌલિક પરમ શ્રેષ્ઠ ધામ તેમા હું સદાય રહું છું, તે ધામની દ્રષ્ટિથી જ મને પામી શકાય છે. II૫II હવે શ્રીહરિ પોતે, પોતાની શક્તિનું વર્ણન કરતાં કહે છે કે જીવ, ઈશ્વર, માયા, કાળ પ્રધાન પુરુષ અને અક્ષર સહિત હું સર્વનો નિયંતા છું. સહુને મારા પરવશપણામાં રાખું છું. વળી, એ સહુનો પ્રેરક એવો હું સર્વોપરી ભગવાન છું. મારી ઈચ્છાથી અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ, પાલન અને લય થાય છે. મારી મરજી ન હોય તો કોઈથી સૂકું તરણું પણ તોડી શકાતું નથી. સમસ્ત ચેતન-અચેતન શરીરનો હું શરીરી છું. જ્ઞાન, શક્તિ, બળ ઐશ્વર્ય, વીર્ય, અને તેજ એ આદિક અનેક કલ્યાણકારી શક્તિઓથી હું સભર છું. માટે હે મમ્ આશ્રિત ભક્તજનો ! આવી રીતે મને સર્વ અવતારનો અવતારી સર્વોપરી ભગવાન સમજજો. અતિ કરુણા કરી, મેં મારી અને મારા સ્વરૂપની સત્ય વાર્તા તમારી આગળ કહી છે. તેને ભક્તબુદ્ધિથી સમજજો. મેં તો કેવળ તમારા માટે જ મારા ધામ થકી દેહ ધર્યો છે. ભક્તો ! હું ક્રિયાસાધ્ય નથી. કૃપાસાધ્ય છું. આ પદમાં સ્વયં શ્રીહરિએ જ ધામધામીનું સ્વરૂપ પ્રકાશ્યું જાણી પ્રેમાનંદસ્વામી કહે છે કે આજ તો મારો વ્હાલો અમ્રુતના મેહરૂપ વરસ્યા તે વરસ્યા જ છે. અઢળક ઢળ્યા છે.
ઉત્પત્તિઃ- પ્રસ્તુત કીર્તનની ઉત્પત્તિના ઈતિહાસમાં આપણે જાણ્યું તેમ હવે પછીના નિમ્નલિખિત બે પદો ખુદ શ્રીજી મહારાજે જ રચેલા છે. જેથી આ પદોની વાસ્તવિક્તા અને વિશેષતા વધુ મહત્વપૂર્ણ ગણાય છે. અષ્ટનંદ સંતો રચિત લાખો પદો જોવા મળે છે. પરંતુ ખુદ શ્રીજી મહારાજ રચિત આ બે પદો જ જોવા મળે છે. સંપ્રદાયમાં આ બે પદોને “પ્રસાદીના પદો” માનવામાં આવે છે. કારણ કે ગદ્યાત્મક શાસ્ત્રોમાં જેમ શિક્ષાપત્રી શ્રીજીનું હસ્તલિખિત શાસ્ત્ર ગણાય છે, તેમ પદ્યાત્મક શાસ્ત્રોમાં આ બે પદો શ્રીજીએ જ રચેલા છે. તેથી પ્રગટ ઉપાસી ભક્તોને મતે અતિ મહત્વનાં અને અતિ પ્રસાદીના ગણાય છે. તો કીર્તન ભક્તિના પ્યાસી ભક્તોને વિનંતી કે આ બે પદોને રોજ ગાવાં અને સાંભળવાં એટલે પરમકૃપાળુ પરમાત્મા પ્રસન્ન થશે. વળી, ધામ-ધામીની વાત અને વર્ણન તેમ જ શ્રીજીનો પરમ સિદ્ધાંત શ્રીજીએ પોતે જ આ પદોમાં આલેખ્યો છે. તો વાંચકો ! વધુ સ્થિર થઈ ધ્યાનપૂર્વક આ પદોના રહસ્યને જાણવું જરૂરી ગણાય. માટે આવો, એ શ્રીજીની પ્રસાદીના આસ્વાદનો અનુભવ કરીએ.
अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान
एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है
અંખી આયકે મોય લગી, જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી, તમોને કર જોડી કહીએ
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત
અંગુલીકા મૃદુલ રુપાળીરે, અનુક્રમે નાની મોટી
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે
અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ
અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારી હો
અંતરજામી શ્રીકૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો
અંતરના જામી શું કહીએ આપને, નથી અજાણ્યું આપ થકી તલ ભારજો
અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે
અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી
અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે
અંતે સંતને તેડાવે રે, પ્રભુનું ભજન કરવા
અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો
અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે
અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો
અક્ષરધામથી શ્રીજી પધાર્યા
અક્ષરધામથી સંતોની સંગાથ જો
અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર
અક્ષરના વાસી રે અવની આવીયા
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ
અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે
અક્ષરવાસી વિલાસી વડતાલના રે
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે
અક્ષ્રરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી
અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ
અખંડ રહો મંદિરીયે મારે, મોહી હું તો છોગલીયે તારે રે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર
અખિયનકી લગી ચટકી સજની અંખિ
અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી
અખિયાં અટકી દેખત બનવારી