આશકો દિયારી વે, માશુક ન જાના ભૂલી...આશકો૦ ટેક
સૂન સાંવરે સાહેબા મહોબત હમારી વે;
ખાવંદ ખુશી હોય, રખના દિલમેં વિચારી વે...માશુક૦
આશકો દિયારી વે, માશુક ન જાના ભૂલી...આશકો૦ ટેક
સૂન સાંવરે સાહેબા મહોબત હમારી વે;
ખાવંદ ખુશી હોય, રખના દિલમેં વિચારી વે...માશુક૦
આશકોંદી યારીવે, માશુક ન જાના ભૂલી
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
આશકોંદી યારીવે, માશુક ન જાના ભૂલી
હસમુખભાઈ પાટડિયા
આશકોંદી યારીવે, માશુક ન જાના ભૂલી
હસમુખભાઈ પાટડિયા
આસ્વાદ : પેમસખી પ્રેમાનંદની કવિતા એટલે હૃદયની સ્વાનુભૂત પ્રબળ પ્રેમોર્મિની પરંપરાને આવિષ્કારતી ભક્તિસંકીર્તનાત્મક પદરચના. મુસ્લિમ નવાબના મહેલમાં પ્રસંગ અને વાતાવરણને અનુરૂપ અરબી-ફારસી શબ્દોના પ્રચૂર પ્રયોગથી રેખતા રાગમાં*( ગઝલની ચાલને રેખતો કહે છે.) પ્રેમાનંદ સ્વામીએ જે બે ગઝલો ગાઈ તેમાં સૂફી પ્રેમની આશક માશૂકના સ્વાર્થરહિત વિશુદ્ધ પ્રેમની તાલાવેલી અને મસ્તી બહુ સ્પષ્ટ રીતે અભિવ્યક્ત થાય છે. સૂફી પ્રેમની અસર બતાવતી આ ગઝલો દયારામની ગઝલો કરતાં પણ ચડે એવી છે. પ્રીયાતમાભાવે પ્રિયતમ પ્રભુને પ્રેમ કરવો એ પ્રેમલક્ષણા ભક્તિનું મુખ્ય અને મહત્વનું લક્ષણ છે. જયારે સૂફિમત પ્રમાણે આશક ભાવે પરવરદિગારને માશૂક (પ્રિયતમ) માનીને મહોબ્બત કરવાની હોય છે. એમાં જેમ આશક ભક્ત માશૂક ખૂદને પ્યાર કરી મસ્તી માણે છે એમ આ ગઝલોમાં પ્રેમસખીએ આવી સૂફીભક્તિની મસ્તીની અને કુરબાનીની અનુભૂતિ વર્ણવી છે. પ્રથમ ગઝલમાં આશક ભક્ત પોતાની મશૂકને- પરવરદિગારને ‘યારી’ યા ‘મહોબ્બત’ ભૂલી નહિ જવા પ્રેમભાવે પ્રાર્થના કહે છે; આશકોંદી યારી વે, માશૂક ન જાના ભૂલી; સુન સાંવરે સાહેબા , મહોબત હમારી વે .’ અહીં કવિ પંજાબી ભાષાનો છઠ્ઠી વિભાક્તિનો પ્રત્યય ‘દી’ નો પ્રયોગ બહુ ખૂબીથી કરે છે. આશક મશૂકને કહે છે: ‘પ્રિયે ! તારા આ આશકની મહોબ્બતને તું ક્યારેય વિસારે ન પાડીશ. ખાવાન્દને ખુશ રાખવો એ તારે જોવાનું છે એ તારી ફરજ છે.’ સૂફી કવિઓની જેમ પ્રેમસખીએ પણ અહીં ‘ઈશ્કે મિજાજી’ (માનવીય પ્રણય)ની વાણીમાં ‘ઈશ્કે હકીકી’ (પ્રભુપ્રેમ) ગાયો છે , તેથી એ ક્યારે તો સ્વાર્પણના ભાવમાં સરી જાય છે એની ખબર પણ પડતી નથી. એક આસારા હૈ તેરા, કહે ક્યા પુકારી વે; પરવરદિગાર દિલકી, તું જાનતા સારી વે.’ છેલ્લા અંતરામાં કવિ ભક્તહૃદયની પરમાત્મા પ્રત્યેની અનન્યનિષ્ઠા દ્રઢતાપૂર્વક વ્યક્ત કરતાં પ્રાર્થે છે; ‘પ્રભુ ! આપ તો અંતર્યામી છો, મારા દિલની બધી જ વાત સારી રીતે જાણો છો. આપનાં ચરણોમાં – આપના સ્વરૂપમાં મને દ્રઢ પ્રીતિ થઇ ગઈ છે , મને આપની લગની લાગી ગઈ છે અને એ કોઈ પણ સંજોગોમાં ટાળી ટળે તેમ નથી. માટે મહારાજ મને સાંભળી લેજો.’ ગઝલના ભાવ ને ગાંભીર્યને વિચારતાં એમ લાગ્યા વિના રહેતું નથી કે સૂફીઓની પરિભાષામાં ‘ અહીં બોલી તો રહ્યો છે પ્રેમલક્ષણા ભક્તિનો બંદો ! પ્રેમસખીનું શાસ્ત્રીય રાગરાગિણીઓ તથા એકથી વધુ ભાષાઓ ઉપરનું પ્રશસ્ય પ્રભુત્વ અહીં બહુ સ્પષ્ટપણે જણાઈ આવે છે. બીજી ગઝલમાં આશક ભક્તની માશૂક પરમાત્માના દિદાર એટલે કે દર્શન માટેની તીવ્ર અભિપ્સા વ્યક્ત થાય છે. ‘દીખલા દિદાર પ્યારા મહેબુબ હમારા ; માશૂક જરા દે દેના, નેનોંકા નજરા ,’ માશૂકની પ્રણયભરી એક મીઠી નજર પણ આશકને મન જીવનામૃત જેવી છે. એક માત્ર નજરનું જ નજરાણું ! અને આ તો પ્રેયસીની નહિ પણ શ્રેયસ્કર પ્રભુની પ્રેમભરી નજરનું નજરાણું છે. એમની અમીભરી નજર માત્ર જ આશકની જિંદગીભારનું પાથેય બની રહે તેમ છે. ‘કુરબાન કિયા તેરે નામ પર,ઘરબાર –સંસાર ; ફકીરી લે કે ફિરતા હું , કરનેકું દીદારા ,’ આશક ભક્તે માશૂકાના દિદાર માટે જ ઘરબાર સંસાર છોડી ફકીરી લીધી છે.પરમાત્માના દર્શન માટેની ભક્તહૃદયની તીવ્ર ઉત્કંઠા અહીં અભિવ્યક્તિ પામે છે. અંતિમ અંતરામાં કવિ પ્રાર્થે છે કે મારી તકસીર- મારા અપરાધ ક્ષમા કરીને પ્રભુ મને મુલાકાત જરૂર દેજો.પ્રેમીભક્તની હરિમિલનની પ્યાસ ક્યારેક આ રીતે અનાયાસે પણ વ્યક્ત થયા વિના રહેતી નથી. આ પદનો પૂર્વાર્ધ સૂફી ઢંગનો છે તો ઉતરાર્ધ અને એમાંય ખાસ કારીને છેલ્લી પંક્તિ વૈષ્ણવી પ્રેમલક્ષણા ભક્તિ નિદર્શિત કરે છે. આ ગઝલોમાં કવિની ભાવાભિવ્યક્તિ આકર્ષક છે. એમની વાણીમાં કોમળતા ને માધુર્ય સહજ પણે ઊતરી આવે છે. પ્રેમસખીનું અરબી-ફારસી ભાષા પરનું અહીં વ્યક્ત થયા વિના રહેતું નથી .
સં. ૧૮૮૪ના વૈશાખ વદ બીજના દિવસે શ્રીજીમહારાજે જૂનાગઢ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો. જૂનાગઢમાં મંદિર બાંધવા માટે મહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામીને જૂનાગઢ મોક્લેલા . જૂનાગઢના નવાબ બહાદુરખાન બાબી સાથે બ્રહ્મમુનિને બહુ જૂના મૈત્રી સંબંધ હતા , તેથી નવાબે મંદિરના બાંધકામમાં અંગત રસ લઈને રાજ તરફથી સારી એવી સહાય કરી હતી. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીના પુણ્ય પ્રતાપે મંદિરનાં સર્વ કાર્યો નિર્વિઘ્ને પાર પડ્યા. નવાબ બહાદુરખાનજી ગુણાનુરાગી હતા, એટલું જ નહિ સંગીતજ્ઞ પણ હતા. બ્રહ્મમુનિના શતાવધાન પ્રયોગો એમણે જોયેલા, એમનો કાવ્યપ્રસાદ પણ માનેલો. યોગમૂર્તિ ગોપાળાનંદ સ્વામીના સાંનિધ્યમાં એમનાં કારભારીને થયેલો સમાધિનો દીવ્યાનુભવ નવાબે નજરે નિહાળ્યો ત્યારે એમને થયું કે જેના ફકીરો આટલા મહાન છે એ સ્વામિનારાયણ સ્વયં કેવા હશે ? નવાબના દિલમાં એ દિવસથી જ શ્રીજીમહારાજના દર્શનની ઝંખના જાગી હતી! મૂર્તિ પ્રતિષ્ઠા પછી બીજા દિવસે નવાબ સરકારની વિનંતી સ્વીકારીને શ્રીજીમહારાજ મોટા મોટા સદ્ગુરુઓ, બ્રહ્મચારી, પાર્ષદો , દાદા ખાચર આદિ સર્વ કાઠ�� દરબારો સાથે નવાબના રાજમહેલે પધાર્યા . નવાબે શ્રીજીમહારાજનો સત્કાર કર્યો. કચેરીમાં પધરામણી કરાવી; બ્રાહ્મણો પાસે શ્રીહરિની પૂજા કરાવી. પછી સંતોને ચંદન ચર્ચાવી ચાદરો ઓઢાડી. શ્રીહરિ સન્મુખ સોનેરી પોષક , શેલા , શાલ, દુશાલા , પાઘ અને સુવર્ણના અલંકારો સાથે નવાબે કોરીઓના તથા રૂપીયાઓના થાળો તેમજ મેવા આદિ વસ્તુઓની ભેટ ધરી. નવાબે મસ્તક નમાવી હાથ જોડી પ્રાર્થના કરી કે “ આપ ખુદાતાલા હો. આપકા હી દિયા હુઆ યે રાજ મૈં કરતાં હૂં. એ બડે સ્વામીજી (ગોપાળાનંદ સ્વામી) ઔર કવિ સ્વામીજી ( બ્રહ્માનંદ સ્વામી ) જૈસે બડે બડે મહાત્મા આપકે કદમપોશ શાગિર્દ હૈં ઔર ઐસે તો કઇ ફકીર આપકી તહેનાતમે રહતે હૈ ઐસા મૈંને સુના હૈ. આજ આપકે દિદારસે મેરે દિલકો બહોત ચૈન ઔર સુકૂન મિલા હૈ.” નવાબની ઈબાદત સાંભળી અત્યંત પ્રસન્ન થઈને મહારજે આશિષ આપતા કહ્યું: “ આ બ્રહ્મમુનિ જેવા સંત સાથે તમારે હેત થયું છે તેથી તમારો બેડો પાર છે એમ સમજજો અને નીતિ – ધર્મથી રાજ્ય ચલાવી પ્રજાને પાળી પોષી જગતમાં જશ લેજો. જ્યાં સુધી હિન્દુ મુસ્લિમ બંને ધર્મને તમો સમાન દ્રષ્ટિથી પોષશો ત્યાં સુધી તમારું રાજ્ય સલામત ને શ્રેષ્ઠ રહેશે”*( શ્રી બ્રહ્મસંહિતા : પ્ર. પ. અ. ૪ ( પાના નં. ૪૨૭ )) મહારાજને નમસ્કાર કરી નવાબે પોતાનું સ્થાન લીધું . પછી નવાબના આદેશથી રાજના દરબારી ગવૈયાઓએ રેખતા રાગમાં સૂફીમતની ફારસી ગઝલો ગાઈ સંભળાવી. એમનું સંગીત પૂરું થતાં નવાબે મહારાજને આજીજીપૂર્વક કહ્યું: “મહારાજ ! હમને સુના હૈ આપકે ફકીર બહુત બહેતરીન સંગીત જાનતે હૈ, અગર વો સુનને કો મિલે તો એ હમારી ખુશનસીબી હોગી.” આ સાંભળી મહારાજ મર્માળુ હાસ્યા. મહારાજે પાસે બેઠેલા પ્રેમાનંદ સ્વામીને ઈશારો કરતાં પ્રેમસખીએ રાજ દરબારમાં પ્રસંગોચિત રેખતા રાગના સૂર છેડ્યા અને આલાપ લઈને પ્રભુ પ્રેમમસ્ત સૂફી ઓલિયાની અદાથી બે ઉર્દુ ગઝલો શીઘ્ર રચના કરીને ગાઈ સંભળાવી. પહેલી ગઝલ ‘આશકોંદી યારી વે , માશૂક ન જાના ભૂલી’ નો પહેલો અંતરો સાંભળતા જ ચારે બાજુથી ‘ માસ્સા અલ્લાહ .... સુભાન અલ્લાહ ... ‘ ના પોકારો ઉઠવા લાગ્યા. ‘સુરત લગી કદમોં સે ન ટરેંગી ટારી વે ‘ છેલ્લા અંતરાને હૃદયના અટલ ઊંડાણથી ઘૂંટીને પ્રેમસખીએ એવો મધુર સ્વર આપ્યો કે મુસ્લિમ ઉસ્તાદો તેમજ નવાબ સરકાર ખૂદ ‘આફરિન આફરિન ‘ પોકારી ઉઠ્યા. પહેલી ગઝલ પૂરી થતાં પ્રેમાનંદ સ્વામીએ એના અનુસંધાનમાં જ બીજી ગઝલ ‘દીખલા દિદાર પ્યારા, મહેબૂબ હમારા ...’ ઉપાડી . ગઝલના શબ્દે શબ્દે આશક ભક્તકવિની માશૂક પરમાત્માના દિદાર માટેની તીવ્ર અભિપ્સા વક્ત થવા લાગી. એના છેલ્લા અંતરમાં કવિ સૂફીમત તરફથી પ્રેમલક્ષણા ભક્તિભાવમાં એવી સલૂકાઈથી સરકી ગયા કે સૂફીવાદી મુસ્લિમ ધર્મીઓના અંતર પણ એ પ્રેમભાવથી પ્લાવિત થઇ ગયાં. સ્વામી ગાતા ગાતા ભગવદ્ભાવમાં એવા તલ્લીન થઇ ગયા કે આંખોમાંથી આંસુઓની ધારા વછૂટી હતી એનું પણ એમને ભાન ન રહ્યું. એમનાં સંગીતમાં એવો જાદુ હતો કે સાંભળનાર સર્વેના પ્રાણ સંગીતની રસસમાધિમાં લીન થઇ ગયા. સ્વામીનું સંકીર્તન પૂરું થયા પછી પણ એ સંગીતની અસરમાંથી ક્યાંય સુધી કોઈ મુક્ત ન થઇ શક્યું. થોડી વારે નવાબ સાહેબ ઊભા થઇ શ્રીજીમહારાજને હાથ જોડી બોલ્યા: ‘આફરિન! ખુદા વંદે –આલમ ! હમને ઇસ દરબારમેં દેશ- પરદેશકે બહુત ગાયક સુને હૈ, મગર ઐસા રૂહાની સંગીત કભી નહિ સુના. સ્વામીજી કા સંગીત સુનકે હમકો ઐસા મહસૂસ હુઆ માનો હમ નૂરાની રૂહકા કોઈ કરિશ્મા સુન રહે હો!’ મહારાજે મોહક સ્મિત કરી નવાબને યોગ્ય પ્રતિભાવ આપ્યો . નવાબ બહાદુરખાનજી ત્યાર બાદ પ્રેમાનંદ સ્વામી તરફ જોઈ બોલ્યા : ‘સ્વામીજી ! ઐસા રૂહાની સંગીત સુનાને કી બદૌલત હમ આપકે શુક્રિયા ગુજર હૈ! ખુદા કસમ, આજકે બાદ હમ કિસી દરબારી ગવૈયા કા સંગીત નહીં સુન પાએંગે .’ સ્વામીએ વિનયપૂર્વક કહ્યું : ‘ નવાબ સાહેબ ! હું તો સાધન માત્ર છું. જેવી મારી સારંગી એવો હું ! ગાનારો કોઈ બીજો જ છે . એ દિવ્ય ગાયકના હાથનું હું સાધન બની શક્યો એટલું જ મારું સદ્ભાગ્ય ! ‘ નવાબે જિંદગીમાં પહેલી જ વાર આવા શબ્દો સાંભળ્યા . કેટલી નમ્રતા ! કેટલી દીનતા ! આજે પહેલી વાર એમણે એવો માણસ જોયો જે પોતે યશનો માલિક થવાને બદલે માલિકને- ખુદાને યશનો માલિક ગણી ગર્વ લે છે. પ્રેમાનંદ સ્વામીનું રૂહાની સંગીત અને તેમના નિર્માની વચનો નવાબના હ્રદયમાં હંમેશને માટે અંકાઈ ગયા.
अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान
एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है
અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .
અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે,
અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે
અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.
અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪
અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;
અંતરના જામી શું કહીએ આપને
અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે
અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;
અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪
અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..
અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;
અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,
અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે
અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો
અક્ષરધામથી શ્રીજી પધાર્યા
અક્ષરધામથી સંતોની સંગાથ જો
અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨
અક્ષરના વાસી રે અવની આવીયા,
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે;
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ
અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે,
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.
અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;
અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,
અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;
અખિયનકી લગી ચટકી સજની અંખિ.
અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી