Logo image

મુને સ્વપને ન ગમે રે સંસાર, કોને કેમ કીજીયે

રાગ જંગલો

મુને સ્વપને ન ગમે રે સંસાર, કોને કેમ કીજીયે. ટેક.

વમન થયું મન ઉતર્યું, એવો જાણ્યોરે સંસાર,

કોને કેમ કીજીયે. કોને. ૧

સેજ પલંગને પોઢણા, કોઇ તલાંસે પાવ,

પતંગ પડયો તે ઉપરે, માથે જમકેરો દાવ. કો. ર

મૃગરાજના મુખમાં, જે કોય આવે જરુર,

ખાનપાનને વિસરે, મરવું દેખે હજૂર. કોને. ૩

સ્વારથે સઉ કોઇ મળી, વિધવિધ કરે વાત,

અંતરમાં કેમ ઉતરે, નજરે દીઠેલ ઘાત. કો. ૪

સમજી વિચારી જે કરો, તજો ખલકની આસ,

નિષ્કુળાનંદ નિશ્ચે કર્યું, સુખ તો સદ‌્ગુરુ પાસ. કો. પ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
વિવેચન:
ભાવાર્થઃ- હે દરબાર ! મને સપનામાં પણ આ સંસાર ગમતો નથી. તો તમે જ કહો કે, “હવે હું શું કરું?” જેમ માણસે સારાં-સારાં ભોજન આરોગ્યાં હોય અને એ જ ભોજનનું જ્યારે વમન થાય ત્યારે શું એને પાછું ખાવાની ઈચ્છા થાય? બસ, દરબાર મને પણ આ સંસાર વમન થયેલાં અન્ન જેવો ભાસે છે. આ સર્વ સગાં-સંબંધીઓ ગદરાવાને કારણે સ્વાર્થમય વિવિધ વાતો કરે છે. એ મારા અંતરમાં કેમ ઉતરે? કારણ કે મેં આજ દિન સુધી સ્વાર્થી દુનિયાની સ્વાર્થી સગાઈ નજરે દીઠેલી છે. કહો દરબાર, હવે આ સંસારમાં રહેવાની વાત મારે ગળે કેમ ઉતરે?” II૧II “ભલે કોઈ છતરપલંગ ઉપર પોઢતા હોય, સેવા-પરિચર્યા કરવા માટે અનેક સેવકો હોય તો પણ કાળનો પંજો અને જમનો દાવ એની ઉપર તો તોળાઈ રહ્યા છે. જેમ મૃગરાજ એટલે કે સિંહની આગળ કોઈ પ્રાણીને ઊભું રાખ્યું હોય ત્યારે તે સહેજે જ ખાન-પાનને વીસરી જઈ મોતને નજરે દેખે છે. તેમ સ્વામી કહે છે કે, દરબાર મેં અંતરથી ઊંડું વિચારીને આ સાંસારિક જીવતરની આશ તજી છે. અને વળી, દ્રઢ નિશ્ચય કર્યો છે કે સુખમાત્ર તો સદ્ગુરુની પાસે જ છે. તો હવે તમે જ કહો કે હું સંસારી રહું કે સાધુ?” નિષ્કુળાનંદસ્વામીના ધારદાર, અસરકારક અને બૃહદ વૈરાગ્યસભર શબ્દો સાંભળી દરબાર નીચું જોઈ ગયા. સૌ કોઈ મૌન બની ગયા છે. જેથી સૌની મૂક સંમતિ મળી ગઈ માની નિષ્કુળાનંદસ્વામીએ ગઢડાની વાટ પકડી. II૨ થી ૪ II રહસ્યઃ- નિષ્કુળાનંદે હરિવરને વરવાની વાત રણમેદાનમાં મૂકી છે. પદના દરેક શબ્દો બૃહદ વૈરાગ્યથી છલકે છે. સંસારી સુખ ઈચ્છનારને મર્મવેધકતાથી શ્વાન તરીકે સંબોધી દીધો છે. પદઢાળ પ્રશંસનીય છે. નિષ્કુળાનંદ તો કૃપાપાત્ર સંતકવિ છે. એટલે જીવનનાં અનુભવે એમને જે સત્ય સમજાયું તેની વાત તે ન કરે તો તેમનો સંત ધર્મ, કવિધર્મ જ લુપ્ત થાય. પ્રભુ પ્રત્યેનો તેમનો વૈરાગ્યપ્રેરિત પ્રીતિભાવ સુંદર અને સચોટ રીતે વ્યક્ત થયો છે. દ્રષ્ટાંત પ્રદ્રષ્ટાંતોથી સ્વાનુભવ રજૂ કરવાની ફાવટ આ કવિની અજોડ છે. પદઢાળ લાંબા ઢાળનો ધોળ છે. તાલ દિપચંદી છે. ગેયતાની દ્રષ્ટિએ પદ ઘણું સુગમ, સરળ અને મનને આકર્ષિત કરે તેવું છે.
ઉત્પત્તિ:
ઉત્પત્તિઃ- શેખપાટના ચોરામાં સાધુ થયેલા સદ્ગુરુ નિષ્કુળાનંદસ્વામી માતૃશ્રી અમ્રુતબાને સમજાવી રહ્યાં છે. મા દીકરાની મીઠી રકઝક ચાલે છે. સ્વામીએ લોક લાજ મૂકી પોતાનું આત્મસ્વરૂપ પ્રગટ કરવા માંડ્યું છે. આ તમાશો જોવા લગભગ પોણું ગામ ચોરે ભેગું થઈ ગયું. ગામધણી સોઢા બાપુને પણ ખબર પડી કે, આપણા ગામના કાષ્ટના કુશળ કારીગર લાલજી સુધાર સ્વામિનારાયણના બાવા બનીને આવ્યા છે, અને ચોરામાં બેઠા છે. એ જાણી ડેલીનો ડાયરો વિખરાયો. સૌ દરબારો ચોરે આવ્યા. સોઢા બાપુ જામ સાહેબના નજીકના સગા થતા હતા. તેથી એ પ્રદેશમાં તેની હાક વાગતી. બાપુને આવતા જોઈ સ્વામીને થયું કે, હવે થાય તે ખરું. જો બાપુનો મગજ બગડ્યો તો મુશ્કેલી પડશે. પણ ખેર, ધાર્યું ધણીનું થાય છે. સ્વામીએ તો શ્રીજીને સંભારી પોતાના આત્મજ્ઞાનની વાત ચાલુ રાખી. પરંતુ હવે માથી રહેવાયું નહીં. એ તો પોક મૂકી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં. બેટા તારી વાત સાચી છે. હું પણ એમાં માનું છું, પણ ઘરે રહીને શું એ સમજણ નથી રાખી શકાતી? સંસારમાં રહીને પણ ભગવાન ભજી શકાય છે. જો એ વાત ખોટી હોય તો, પૂછી જો ગામના સારા-સારા ભાઈઓને, ત્યાં તો સૌ એકી સાથે બોલી ઊઠ્યાં કે, “બરાબર છે, બરાબર છે, ડોશીમા તમારી વાત સાચી છે. ‘જો મન હોય ચંગા તો કથરોટમેં ગંગા’ આ સાંભળી સોઢાબાપુને જોમ આવ્યું અને ઊભા થયા. લાંબો હાથ કરીને તાડૂકી ઊઠ્યા કે, “લાલજી ! સંભળાય છે માની વેદના? જ્યારથી તારા બાવો થયાના સમાચાર સાંભળ્યા છે, ત્યારનું ધરાઈને ધાન ખાધું નથી. હવે તો હદ થઈ છે. ભલા માણસ તારા જેવા સમજુને વધારે શું કહેવું પડે? મા જેવી મા રોતી હોય અને એકનો એક દીકરો મીંઢ થઈને બેસી રહે. વળી, અમારા દેખતાં દીકરો માને તરછોડે, પોતાના કુટુંબને બેહાલ કરે એ બધું ઠીક નહીં. લાલજી! આમાં અમારી આબરૂનો સવાલ છે સવાલ! અમારો ચોખ્ખો આદેશ છે કે આ ભગવાં ઉતારીને ઘેર જ રહો. પાણીના પુરની જેમ ચડેલા ચટકીના વૈરાગ્યથી જો નહીં માનો તો પરિણામ સારું નહીં આવે.” નિશ્કુળાનંદસ્વામી સમજી ગયા કે, પરિસ્થિતિ બેકાબૂ બનતી જાય છે. હવે થાય તે ખરું. અચાનક સ્વામીના જીવમાં જોમ આવ્યું. અને સફાળા ઊભા થઈ ગયા. એક હાથે ચોરાનું ઘોડીયાટ પકડી પોતાના અસલ સ્વરૂપમાં આવી બૂલંદ અવાજે ગામસભાને અને દરબારને સંબોધી કહેવા લાગ્યા.
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025