આ છપૈયાપુરથી સંચર્યા, અવતારી રે;
વાલો આવ્યા છે ગઢડામાંય, ગિરિવરધારી રે...ટેક...
દાદાખાચરના દરબારમાં-અવ૦, ઘણું રમ્યા જમ્યા જગરાય-ગિરિ૦ ૧
ત્યાંથી તે સ્વામી સીધાવિયા-અવ૦, જઈ કીધો જૂનાગઢ વાસ-ગિરિ૦;
સંતોને લાડ લડાવિયા-અવ૦, હરિભક્તોની પૂરી છે આશ-ગિરિ૦ ૨
ત્યાંથી તે પ્રભુ પધારિયા-અવ૦, વાલો આવ્યા છે અમદાવાદ-ગિરિ૦;
નરનારાયણ સ્થાપિયા-અવ૦, તે અંતરમાં રાખવા યાદ-ગિરિ૦ ૩
ત્યાંથી તે વાલો વિચર્યા-અવ૦, જઈ વસ્યા જયતલપુર ધામ-ગિરિ૦;
જગન કીધો જગના પતિ-અવ૦, સુખકારી સદા ઘનશ્યામ-ગિરિ૦ ૪
ત્યાંથી ચતુરવર ચાલિયા-અવ૦, આવી કીધો છે વડતાલે વાસ-ગિરિ૦;
રંગ રમ્યા રળિયામણો-અવ૦, ગુણ ગાવે નારાયણદાસ-ગિરિ૦ ૫
