વાતડલી રહોને રાતડલી, વાલા પૂછું એક વાતડલી...ટેક. પીતાંબર સાટે મારા પ્રીતમ, સાડી લાવ્યા નવી ભાતડલી...વાલા૦ ૧ મોરડલી લઈને મનમોહન, દીધું વેલણ કોણે દાતડલી...વાલા૦ ૨ જેને ઘેર રજની તમે જાગ્યા, કોણ હતી તેની જાતડલી...વાલા૦ ૩ બ્રહ્માનંદ કરે સંશય થયો નહીં, ધન્ય છે તમારી છાતડલી...વાલા૦ ૪
વાતડલી રહોને રાતડલી, વાલા પૂછું એક વાતડલી
હસમુખભાઈ પાટડિયા
વાતડલી રહોને રાતડલી, વાલા પૂછું એક વાતડલી
દેવપ્રસાદદાસજી સ્વામી ગવૈયા-ગઢપુર
વાતડલી રહોને રાતડલી, વાલા પૂછું એક વાતડલી
હરિકૃષ્ણ પટેલ
વાતડલી રહોને રાતડલી, વાલા પૂછું એક વાતડલી
અજાણ (ગાયક )
ભાવાર્થઃ- મારે તમને એક વાત પૂછવી છે કે તમારી મોરલી લઈને તમને દાતરડી અને વેલણ કોણે આપ્યું અને તમે શા માટે લીધું ? II૧II હે પ્રીતમજી ! પીતાંબરને બદલે આ નવી નવભાતી સાડી ક્યાંથી લાવ્યા ? ભૂતકાળમાં દેવોને અમૃત આપવા તમે મોહિની સ્વરૂપ ધારણ કરેલું. હે પ્રભુ ! આજે પણ એ મોહિનીના સ્વરૂપનો આબેહૂબ વેશ ભજવી ભૂતકાળના સંસ્મરણોની યાદ અમોને તાજી કરાવી. અમારા પણ ધન્યભાગ્ય છે કે આજે લૌકિક દર્શન કરાવી અમારા નિઃસંશયપણાના નિશ્ચયની પરીક્ષા કરી. II૨II પ્રભુ આપ જેની ઘરે રાત રહ્યા એની કઈ જ્ઞાતિ હતી ? એનો આપને લેશ માત્ર પણ વિચાર ન થયો ? અસત્ શૂદ્રની ઘરે રાત રહેવા છતાં આપને કોઈ જાતનો સંશય ન થયો. માટે તમારી છાતીને કોટિ ધન્યવાદ. II૩-૪II રહસ્યઃ- પદનો ઢાળ આમતો પરંપરાગત લોકઢાળ ગણાય છે. છતાં ગેયતાની દૃષ્ટિએ આકર્ષક છે. સ્વાનુભવના રણકા સાથે રજૂ કરેલ પ્રસંગ સાંભળનારના ચિત્તમાં તરત ઠસી જાય છે. કવિની વાણી ૠજુ અને સરળ છે. અંતરની સહજ ઊલટ રજૂ કરતાં-કરતાં તેમાં વેધકતા આવી છે. આ કીર્તન વાક્પ્રસાઅદે પણ પુનઃ પુનઃ સ્મરણીય છે. કારણ કે પ્રગટસ્વરૂપના શૃંગારાત્મક ચરિત્રોમાં પણ અલૌકિક દિવ્યભાવ પ્રસ્તુત કરતું આ કીર્તન નિત્ય ગાવાલાયક છે. પદનો ઢાળ બ્રહ્માનંદ કાવ્યમાં ‘પરજ’ લખ્યો છે. તે પણ યોગ્ય જ છે. અને તાલ દીપચંદી છે.
ઉત્પત્તિઃ- શ્રીજી મહારાજ એક વખત રીસાઈને ગઢપુરથી ચાલી નીકળ્યા. મહારાજના વિયોગથી સંત હરિભક્તો અતિદુઃખી થયા. બ્રહ્માનંદસ્વામી અને સુરાખાચર મહારાજને ખોળવા નીકળ્યા. ’લીમલી(કાનેતર)’ નામે ગામમાં શાદુલ અને સગરામ વાઘરી હરિભક્ત હતા. તેને ઘેર જઈ શ્રીજીએ કહ્યું. ‘મને સંતાડો. મને લઈ જાવા એક સાધુ અને એક કાઠી મારી પાછળ આવે છે.’ સગરામ કહે. ‘તમને ક્યાં સંતાડું?’ મારા ઘરમાં પેટી–પટારો કાંઈ નથી. મારા ભાઈ શાદુલના ઘરમાં કોઠી છે. ત્યાં જાવ.’ શ્રીજી મહારાજ તો વંડી ઠેકીને શાદુલનાં ઘરમાં જ્યાં જાય છે ત્યાં એક મોજડી પડી ગઈ. સગરામ કહે, ‘બીજી મોજડી આપો નહીંતર છતા કરીશ’ ગુહ નાવિકે કહ્યું‘તુ ‘પગ ધોવા દો પછી જ વહાણમાં બેસાડું.’ સગરામે પણ એવું જ કર્યુ. મહારાજ તો તરત બીજી મોજડી ફગાવીને શાદુલના ઘરમાં કોઠીમાં સંતાઈ ગયા. ત્યાં બ્રહ્માનંદસ્વામી અને સુરાખાચર આવ્યા. સગરામને કહે, ‘તારે ઘેર શ્રીજી મહારાજ આવ્યાના સમાચાર છે. ક્યાં મહારાજ છે ? બતાવ’ સગરામ કહે ‘મારા ઘરમાં નથી, જોઈ જુઓ.’ ઘરમાં જોયું પણ મહારાજને ન દેખ્યા. પછી બંને શાદુલને ત્યાં આવ્યા. ત્યાં પણ ન દેખ્યા. સ્વામી અને સુરાખાચર તો બહુ ચતુર. તે છેતર્યા છેતરાય એવા નહીં. બ્રહ્માનંદસ્વામી કહે, ‘શાદુલ ! મહારાજના સ્પર્શવાળા પવનની સુગંધ આવે છે. તું માને કે ન માને. પણ મહારાજ અહીં જ છે.’ એમ કહીને ફળિયામાં ખાટલા ઉપર બેઠા. શ્રીજી મહારાજ તો કોઠીમાં અકળાણા. તેથી વિચારે છે,‘હવે શું કરવું?’ પછી કોઠીમાં સ્ત્રીના કપડાં પડ્યાં હતાં એ કપડાં મહારાજે પહેરી લીધાં અને કોઠીમાંથી મોહિની સ્વરૂપ લઈને બહાર નીકળ્યા. ઘરમાં સગરામ અને શાદુલના પત્નીઓ બેઠાં હતાં. તે બંને વચ્ચે મહારાજ બેસી ગયા. બંને ભાઈઓ કહે,’ હવે અમારે ખડ નીંદવા માટે દાડીયે જાવું છે.’ એમ કહી પછેડીમાં દાતરડી વીંટીને માથે મૂકીને ચાલવા તૈયાર થયાં. ત્યારે મહારાજ કહે, મારેય દાડિયે આવવું છે. મને દાતરડી અને પછેડી આપો.’ શાદુલનાં પત્નીએ દાતરડી અને વેલણ એક પછેડીમાં વીંટીને આપ્યું. મહારાજ મોહિની રૂપ ધારીને બંને બાઈઓ વચ્ચે માથે પછેડીનો વીંટો મૂકીને નીકળ્યા. તુરત બ્રહ્માનંદસ્વામી અને સુરાખાચર સગરામને પૂછે છે કે, ‘છેલ્લાં અને પહેલાં બાઈઓ તો તમારા બેય ભાઈઓના ઘરનાં છે. પણ વચલું કોના ઘરનું ?’ એટલે શાદુલ કહે, ‘એનો કોઈ ધણી જ નથી.’ આ સાંભળી અનંત બ્રહ્માંડનો ધણી મોઢા ઉપરથી ઘૂંમટો ખસેડી હસવા લાગ્યા. મુમુક્ષુના મોક્ષાર્થે માંડેલી મહારાજની આ માનુષીલીલાને નિહાળી અલૌલિકભાવે શીઘ્રકવિ બ્રહ્માનંદ સ્વામીના મુખમાંથી આનંદમિશ્રિત શૃંગારાત્મક પ્રસ્તુત શબ્દો સરી પડ્યા.
अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान
एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है
અંખી આયકે મોય લગી, જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી, તમોને કર જોડી કહીએ
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત
અંગુલીકા મૃદુલ રુપાળીરે, અનુક્રમે નાની મોટી
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે
અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ
અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારી હો
અંતરજામી શ્રીકૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો
અંતરના જામી શું કહીએ આપને, નથી અજાણ્યું આપ થકી તલ ભારજો
અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે
અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી
અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે
અંતે સંતને તેડાવે રે, પ્રભુનું ભજન કરવા
અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો
અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે
અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો
અક્ષરધામથી શ્રીજી પધાર્યા
અક્ષરધામથી સંતોની સંગાથ જો
અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર
અક્ષરના વાસી રે અવની આવીયા
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ
અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે
અક્ષરવાસી વિલાસી વડતાલના રે
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે
અક્ષ્રરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી
અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ
અખંડ રહો મંદિરીયે મારે, મોહી હું તો છોગલીયે તારે રે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર
અખિયનકી લગી ચટકી સજની અંખિ
અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી
અખિયાં અટકી દેખત બનવારી