Logo image

વાતડલી રહોને રાતડલી, વાલા પૂછું એક વાતડલી

વાતડલી રહોને રાતડલી, વાલા પૂછું એક વાતડલી...ટેક.
પીતાંબર સાટે મારા પ્રીતમ, સાડી લાવ્યા નવી ભાતડલી...વાલા૦ ૧
મોરડલી લઈને મનમોહન, દીધું વેલણ કોણે દાતડલી...વાલા૦ ૨
જેને ઘેર રજની તમે જાગ્યા, કોણ હતી તેની જાતડલી...વાલા૦ ૩
બ્રહ્માનંદ કરે સંશય થયો નહીં, ધન્ય છે તમારી છાતડલી...વાલા૦ ૪
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
હાસ્ય/રમુજ/રમુજી, બ્રહ્માનંદ સ્વામી, લાડુદાન ગઢવી (વિષે)
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષણ :
અધમ ઉદ્ધારણ, પતિતપાવન, ગરીબ નિવાજ, દીનબંધુ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
સ્થળ :
લીમલી
વિવેચન:
ભાવાર્થઃ- મારે તમને એક વાત પૂછવી છે કે તમારી મોરલી લઈને તમને દાતરડી અને વેલણ કોણે આપ્યું અને તમે શા માટે લીધું ? II૧II હે પ્રીતમજી ! પીતાંબરને બદલે આ નવી નવભાતી સાડી ક્યાંથી લાવ્યા ? ભૂતકાળમાં દેવોને અમૃત આપવા તમે મોહિની સ્વરૂપ ધારણ કરેલું. હે પ્રભુ ! આજે પણ એ મોહિનીના સ્વરૂપનો આબેહૂબ વેશ ભજવી ભૂતકાળના સંસ્મરણોની યાદ અમોને તાજી કરાવી. અમારા પણ ધન્યભાગ્ય છે કે આજે લૌકિક દર્શન કરાવી અમારા નિઃસંશયપણાના નિશ્ચયની પરીક્ષા કરી. II૨II પ્રભુ આપ જેની ઘરે રાત રહ્યા એની કઈ જ્ઞાતિ હતી ? એનો આપને લેશ માત્ર પણ વિચાર ન થયો ? અસત્ શૂદ્રની ઘરે રાત રહેવા છતાં આપને કોઈ જાતનો સંશય ન થયો. માટે તમારી છાતીને કોટિ ધન્યવાદ. II૩-૪II રહસ્યઃ- પદનો ઢાળ આમતો પરંપરાગત લોકઢાળ ગણાય છે. છતાં ગેયતાની દૃષ્ટિએ આકર્ષક છે. સ્વાનુભવના રણકા સાથે રજૂ કરેલ પ્રસંગ સાંભળનારના ચિત્તમાં તરત ઠસી જાય છે. કવિની વાણી ૠજુ અને સરળ છે. અંતરની સહજ ઊલટ રજૂ કરતાં-કરતાં તેમાં વેધકતા આવી છે. આ કીર્તન વાક્પ્રસાઅદે પણ પુનઃ પુનઃ સ્મરણીય છે. કારણ કે પ્રગટસ્વરૂપના શૃંગારાત્મક ચરિત્રોમાં પણ અલૌકિક દિવ્યભાવ પ્રસ્તુત કરતું આ કીર્તન નિત્ય ગાવાલાયક છે. પદનો ઢાળ બ્રહ્માનંદ કાવ્યમાં ‘પરજ’ લખ્યો છે. તે પણ યોગ્ય જ છે. અને તાલ દીપચંદી છે.
ઉત્પત્તિ:
ઉત્પત્તિઃ- શ્રીજી મહારાજ એક વખત રીસાઈને ગઢપુરથી ચાલી નીકળ્યા. મહારાજના વિયોગથી સંત હરિભક્તો અતિદુઃખી થયા. બ્રહ્માનંદસ્વામી અને સુરાખાચર મહારાજને ખોળવા નીકળ્યા. ’લીમલી(કાનેતર)’ નામે ગામમાં શાદુલ અને સગરામ વાઘરી હરિભક્ત હતા. તેને ઘેર જઈ શ્રીજીએ કહ્યું. ‘મને સંતાડો. મને લઈ જાવા એક સાધુ અને એક કાઠી મારી પાછળ આવે છે.’ સગરામ કહે. ‘તમને ક્યાં સંતાડું?’ મારા ઘરમાં પેટી–પટારો કાંઈ નથી. મારા ભાઈ શાદુલના ઘરમાં કોઠી છે. ત્યાં જાવ.’ શ્રીજી મહારાજ તો વંડી ઠેકીને શાદુલનાં ઘરમાં જ્યાં જાય છે ત્યાં એક મોજડી પડી ગઈ. સગરામ કહે, ‘બીજી મોજડી આપો નહીંતર છતા કરીશ’ ગુહ નાવિકે કહ્યું‘તુ ‘પગ ધોવા દો પછી જ વહાણમાં બેસાડું.’ સગરામે પણ એવું જ કર્યુ. મહારાજ તો તરત બીજી મોજડી ફગાવીને શાદુલના ઘરમાં કોઠીમાં સંતાઈ ગયા. ત્યાં બ્રહ્માનંદસ્વામી અને સુરાખાચર આવ્યા. સગરામને કહે, ‘તારે ઘેર શ્રીજી મહારાજ આવ્યાના સમાચાર છે. ક્યાં મહારાજ છે ? બતાવ’ સગરામ કહે ‘મારા ઘરમાં નથી, જોઈ જુઓ.’ ઘરમાં જોયું પણ મહારાજને ન દેખ્યા. પછી બંને શાદુલને ત્યાં આવ્યા. ત્યાં પણ ન દેખ્યા. સ્વામી અને સુરાખાચર તો બહુ ચતુર. તે છેતર્યા છેતરાય એવા નહીં. બ્રહ્માનંદસ્વામી કહે, ‘શાદુલ ! મહારાજના સ્પર્શવાળા પવનની સુગંધ આવે છે. તું માને કે ન માને. પણ મહારાજ અહીં જ છે.’ એમ કહીને ફળિયામાં ખાટલા ઉપર બેઠા. શ્રીજી મહારાજ તો કોઠીમાં અકળાણા. તેથી વિચારે છે,‘હવે શું કરવું?’ પછી કોઠીમાં સ્ત્રીના કપડાં પડ્યાં હતાં એ કપડાં મહારાજે પહેરી લીધાં અને કોઠીમાંથી મોહિની સ્વરૂપ લઈને બહાર નીકળ્યા. ઘરમાં સગરામ અને શાદુલના પત્નીઓ બેઠાં હતાં. તે બંને વચ્ચે મહારાજ બેસી ગયા. બંને ભાઈઓ કહે,’ હવે અમારે ખડ નીંદવા માટે દાડીયે જાવું છે.’ એમ કહી પછેડીમાં દાતરડી વીંટીને માથે મૂકીને ચાલવા તૈયાર થયાં. ત્યારે મહારાજ કહે, મારેય દાડિયે આવવું છે. મને દાતરડી અને પછેડી આપો.’ શાદુલનાં પત્નીએ દાતરડી અને વેલણ એક પછેડીમાં વીંટીને આપ્યું. મહારાજ મોહિની રૂપ ધારીને બંને બાઈઓ વચ્ચે માથે પછેડીનો વીંટો મૂકીને નીકળ્યા. તુરત બ્રહ્માનંદસ્વામી અને સુરાખાચર સગરામને પૂછે છે કે, ‘છેલ્લાં અને પહેલાં બાઈઓ તો તમારા બેય ભાઈઓના ઘરનાં છે. પણ વચલું કોના ઘરનું ?’ એટલે શાદુલ કહે, ‘એનો કોઈ ધણી જ નથી.’ આ સાંભળી અનંત બ્રહ્માંડનો ધણી મોઢા ઉપરથી ઘૂંમટો ખસેડી હસવા લાગ્યા. મુમુક્ષુના મોક્ષાર્થે માંડેલી મહારાજની આ માનુષીલીલાને નિહાળી અલૌલિકભાવે શીઘ્રકવિ બ્રહ્માનંદ સ્વામીના મુખમાંથી આનંદમિશ્રિત શૃંગારાત્મક પ્રસ્તુત શબ્દો સરી પડ્યા.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025