મુખ્ય સામગ્રી પર જાઓ

શામળિયો સનેહિ બાઇ મને પ્રાણથી પ્યારા

શામળિયો સનેહી બાઈ મને પ્રાણથી પ્યારા, ઘડીએ ન મેલું વાલાજીને નયણાંથી ન્યારા રે...શામળિયો૦૧ તન મન ધન મારું વાલાજીને કાજે, હવે નથી બીતી દુરિજન લોકડાની લાજે રે...શામળિયો૦૨ વાલાજી સંગાથે બાઈ મારું ચિત્તડું બંધાણું, હવે આ સંસારિયાને તૃણ જેવા જાણું રે...શામળિયો૦૩ મેલ્યો રે સંસારિયો મેં તો હરિવર માટે, વાલોજી વરી હું બાઈ મારા શિરને સાટે રે...શામળિયો૦૪ ભલે રે મળ્યા બાઈ મને હરિવર આવી, પ્રેમાનંદના વાલાની હું તો કા’વી રે...શામળિયો૦૫

 

 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

રાગ : અજાણ રાગ
પ્રકાશક:
અજાણ (પ્રકાશક )
સ્વરકાર : ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
પ્રસંગ :
પ્રભાતિયા
વિશેષ નામ :
પ્રેમ,સ્નેહ,હેત,પ્રીત, ખુમારી, કેફ, લક્ષણ, પ્રાપ્તિ, મિલન,મેળાપ,
www.swaminarayankirtan.org © 2026