મુખ્ય સામગ્રી પર જાઓ

અહો આશ્ચર્ય વારતા એક જ છે જો

અહો આશ્ચર્ય વારતા એક જ છે જો
            સારો સાંભળ્યા સરખો વિવેક છે,જો. ૧
હરિ હેતે તે અમ ઘેર આવીયા જો, 
           મારે મન તે મોહનજી ભાવીયા ,જો. ર
મુને દયાળું દયાળે દયા કરી જો, 
           વાલો મુને બોલાવે ફરી ફરી ,જો. ૩
તારે માલમે મુજમાં જાણીયુંજો, 
           એમ જાણીને અભિમાન આંણીયુ ,જો. ૪
તેની જુકિત જીવનજીયે જોયેને જો, 
           ક્યું મુજને ન ક્યું બીજા કોયને,જો. પ
મારા ગુણ તણી જે હતી ગાંઠડી જો, 
           ઓળખાવી તે અંતરની આંટડી,જો. ૬
તારે માન તે ગળ્યું છે સખી માહેરું જો, 
           હરિ જુવે અંતર કહે બાહેરું ,જો. ૭
નવા જોયા અવગુણ મારા એકના જો, 
           પાળું બરદ ગ્રહિ હરિ ટેકને,જો. ૮
ભલા ભેદુ મળ્યાછે સખી મુજને જો, 
           કહું સાચું હતું તેવું તુજને,જો. ૯
આજ ઓઘ વળ્યાછે આનંદના જો, 
           મળ્યા સ્વામી તે નિષ્કુળાનંદના,જો. ૧૦
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026