મુખ્ય સામગ્રી પર જાઓ

કોઇ પુરવ જનમને પુન્યેરે. શામ સલૂણા શામળીયા

કોઇ પુરવ જનમને પુન્યેરે.
             શામ સલૂણા શામળીયા...
મોહનજી મળીયા મનેરે. શામ
              સલૂણા શામળીયા. શામ...૧
મારૂં સર્વે કારજ સાર્યું રે શામ.
             મને મળિયું મનનું ધાર્યુંરે.  શ।મ... ર
મને આનંદ આપ્યું અંગેરે. શામ.
             હું તો સુખણી થઇ તમ સંગેરે.  શામ... ૩
મને હોંસ હૈયામાં હતીરે. શામ.
              તે સર્વે પૂરણ પોતીરે.  શામ. ૪
મારી ભવની ભાવઠ્ય ભાંગીરે. શામ.
             મારી તાલી તમસું લાગીરે.  શામ...પ
મને સર્વે સુખ જ આપ્યુંરે. શામ.
             મારૂં દુઃખડું દુર્જય કાપ્યુંરે.  શામ...૬
મારા મનના માન્યા મળીયારે. શામ.
             તેણે તનના તાપ જ ટળીયારે.  શામ...૭
હું પૂરણ પુન્યે પામીરે. શામ.
             નિષ્કુળાનંદના સ્વામીરે.  શામ...૮
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026