મુખ્ય સામગ્રી પર જાઓ

જમવા જીવન આવિયા , ભાવિયા ભક્તના મનમાં

જમવા જીવન આવિયા , ભાવિયા ભક્તના મનમાં;
          કરપદ જોઇ કરુણાનિધિ, બેઠા જડીત બાજોડ રતનમાં...૧
ભાત ભાતનાં ભોજન ભાવી, ભક્ત લાવ્યા ભાવે કરી;
         છત્રીસાં વિંજત ભોગ છપ્પન, જમ્યા ભાવે જગદીશ હરી...૨
જમીને જીવન જગપતિ, ચળુ કર્યું ચંચલ થઇ;
         મુખવાસ લઇ હરી મુખમાં, પછે પોઢ્યા સજ્યામાં જઇ...૩
પ્રસાદી પુરુષોત્તમ તણી, સૌ ભક્ત જમ્યા ભેગા મળી;
         એમ આનંદ ઉચ્છવ થાય છે, શ્રીપુરમાં નિત નિત વળી...૪
પોઢી જાગ્યા પ્રભુ પ્રીતથી, કીધી સભા સાંજની વખતે;
         નટ રમાડ્યા નાથજી, સૌ સભાસદને દેખતે...૫
જોઇ રમત એ નટ તણી, વાલો રાજી થયા હેતે કરી;
         અમુલ્ય દ્રવ્ય તેને આપીયું, નવ બીજે માગે આગે ફરી...૬
એવું આપે સુખ જનને હરી, પ્રતિદિન શ્રીપુર શહેરમાં;
         એવી પ્રગટ લીલા નિત ગાય છે અવિનાશાનંદ કવિ લહેરમાં...૭ 
રચયિતા :
અવિનાશાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026